fbpx

અભિષેક, સૂર્યા, સેમસન નહીં, પણ ભારતની હાર પાછળ અસલી ગુનેગાર કોણ છે? ગંભીરની પ્રતિક્રિયાએ જણાવી દીધું

Spread the love

અભિષેક, સૂર્યા, સેમસન નહીં, પણ ભારતની હાર પાછળ અસલી ગુનેગાર કોણ છે? ગંભીરની પ્રતિક્રિયાએ જણાવી દીધું

ન્યૂઝીલેન્ડે ચોથી T20માં ભારતને 50 રનથી હરાવીને સીરિઝની પહેલી જીત મેળવી. ભારતની હારનું સૌથી મોટું કારણ ભારતીય બેટ્સમેનોનું નબળું પ્રદર્શન તો હતું જ, પરંતુ એક બીજું મહત્ત્વનું પરિબળ પણ હતું જેણે મેચને પલટી નાખી. ચોથી T20માં રિંકૂ સિંહને ચોથા નંબર પર બેટિંગ કરવાની તક આપવામાં આવી હતી. રિંકૂએ ગંભીરની રણનીતિને થોડા સમય માટે સાચી સાબિત કરી, પરંતુ જે રીતે તેણે સેટલ થયા બાદ પોતાની વિકેટ ગુમાવી, તેનાથી ન માત્ર ફેન્સ જ નહીં, પરંતુ કોચ ગૌતમ ગંભીર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ જ કારણ છે કે રિંકૂ સિંહના આઉટ પર ગંભીરની પ્રતિક્રિયાએ સ્પષ્ટ કરી દીધું કે વાસ્તવિક ગુનેગાર કોણ છે.

રિંકૂ સિંહે મેચમાં 30 બૉલમાં 39 રનની ઇનિંગ રમી. જેકરી ફાઉલ્ક્સે તેને LBW આઉટ કર્યો. હકીકતમાં, રિંકૂએ મિડલ સ્ટમ્પવાળા બૉલ સ્વીપ શોટ મારવાનો પ્રયાસ કર્યો, જે એક મોટી ભૂલ હતી. આજ કારણ છે કે, રિંકૂએ જે બોલ મિસ કર્યો અને પેડ પર વાગ્યો. ત્યારબાદ અમ્પાયરે બૉલરની અપીલ પર રિંકૂને આઉટ આપી દીધો.

rinku1

આઉટ થયા બાદ રિંકૂને સમજાયું કે તેના ખોટા શૉટથી ભારતને હાર તરફ દોરી થશે. આ જ કારણ હતું કે રિંકૂ સિંહ પોતાના પર ખૂબ નારાજ હતો. બીજી તરફ, ગંભીર પૂરી રીતે હેરાન હતા. જે ખોટા શૉટ પર રિંકુ આઉટ થયો, તેને જોઈને ગંભીરના ચહેરા પર નારાજગી હતી. તેમની પ્રતિક્રિયા બતાવી રહી હતી કે તેઓ રિંકૂંના આઉટ થવાની રીતથી નારાજ છે.

dube

ભલે ભારત મેચ હારી, પરંતુ  શિવમ દુબેએ 23 બોલમાં 65 રનની ઇનિંગ રમીને ટીમને 165 રન સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દુબે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપથી અડધી સદી ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો. તેણે 15 બૉલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેના 65 રનમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે સીમિત 20 ઓવરમાં 7 વિકેટે 215 રન બનાવ્યા, પરંતુ ભારત 18.4 ઓવરમાં 165 રનમાં સમેટાઇ ગયું ગયું. ભારતને 50 રનથી હારનો સામનો કરવો પડ્યો.

error: Content is protected !!