સાબરકાંઠા જિલ્લાના તુરી બારોટ સમાજના કલાકારો માટે વહીવંચા તાલીમ શિબિરનું આયોજન
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સાબરકાંઠા દ્વારા તુરી બારોટ સમાજની પરંપરાગત કળાને પ્રોત્સાહન આપવા માટે ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ‘વહીવંચા તાલીમ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં તુરી બારોટ સમાજના ૧૮ થી ૩૫ વર્ષની વયના યુવા કલાકારો ભાગ લઈ શકશે.
આ તાલીમ શિબિરમાં જોડાવા ઈચ્છતા અને કલામાં રસ ધરાવતા કલાકારોએ પોતાની અરજી ‘જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબજેલ રોડ, હિંમતનગર, જિ. સાબરકાંઠા, પીન-૩૮૩૦૦૧’ ના સરનામે તા.૨૧/૦૨/૨૦૨૬ સુધીમાં મોકલી આપવાની રહેશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી (I/C), સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
જીલ રાવલ સાબરકાંઠા
