પ્રાંતિજ ના વડવાસા ખાતે આયુર્વેદિક અને દંત ચિકિત્સા કેમ્પ યોજાયો
- વડવાસા ગામ સહિત આજુબાજુના લોકોએ લાભ લીધો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના વડવાસા ખાતે આયુર્વેદિક કેમ્પ તથા દંત ચિકિત્સા કેમ્પ યોજાયો


પ્રાંતિજ ના વડવાસા ખાતે નિયામક શ્રી આયુષની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી , સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું કરોલ તથા વડવાસા ગ્રામ પંચાયત અને જાયન્ટ ગ્રુપ ઓફ પ્રાંતિજ ગોલ્ડ સહેલીના સહયોગથી નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમા સાંધાનો દુખાવો , ચામડીના રોગ , શ્વાસના રોગ , સ્ત્રી રોગ , વાળની સમસ્યા દંત ચિકિત્સા સહિત ના રોગો નો કેમ્પ યોજાયો હતો
તો ર્ડા નિતી જાદવ , ર્ડા.નારાયણ શુક્લા તથા તેમની સમગ્ર ટીમે સેવા આપેલ તો વડવાસા ગામ સહિત આજુબાજુના ગ્રામજનોએ કેમ્પ નો લાધો હતો તો બાળકોને ફ્રી માં ડેન્ટલ કીટ આપવામાં આવેલ તો સમગ્ર કેમ્પ નું આયોજન વડવાસા ગ્રામપંચાયત સરપંચ તથા તેમની ટીમ અને પ્રાંતિજ જાયન્ટ ગ્રુપ ગોલ્ડના વ્રજેશ ભાવસાર દ્વારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા
