પ્રાંતિજ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત
– હોળી ધુળેટી ના ત્રીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે
– જોગણી માઇ મંડળ દ્વારા દર વર્ષ ની જેમ સાંસ્કૃતિક કાર્યક્રમો ની સાથે માતાજીની જાતર થાય છે
– સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા ઉપસ્થિત રહ્યા



સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યંત્ર યુગમાં યથાવત છે અને હોળી ધુળેટી ના ત્રીજા દિવસે માતાજીની જાતર ની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે જેમા સાબરકાંઠા-અરવલ્લી સાંસદ સહિત માઇ ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
પ્રાંતિજ બંબાવાસ ખાતે આવેલ જોગણી માતાનાં મંદિર ખાતે દર વર્ષે હોળી- ધુળેટી ના ત્રીજા દિવસે ધાર્મિક – સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે માતાજીની જાતર થાય છે જયારે વર્ષોથી ચાલી આવતી પરંપરા માં પહેલાં ના જમાનામાં માતાજીની જાતર ની સાથે ભવાઈ સહિત ના કાર્યક્રમો યોજાતાં હતાં જયારે અત્યારે સમય બદલાતા હાલ ધાર્મિક પ્રોગ્રામોની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત માતાજી ની આરતી જાતર યોજાય છે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો માં બાળકોએ ડાન્સ , નાટક , ગીત , સહિત ના કાર્યક્રમોમાં બંબાવાસ ખાતે રહેતા વડીલો તથા બાળકોએ ભાગ લઇ આવનાર મહેમાનો તથા માતા- પિતા ના દિલ જીતી લીધાં હતાં જયારે પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા , નગરપાલિકા કોરપોરેટર રસીદખાન સુમરા , નગરપાલિકાના પૂર્વ મહિલા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ તથા મંડળ ના પ્રમુખ અશોકભાઇ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ નુ સુંદર આયોજન જોગણી માતા યુવક મંડળ દ્રારા કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા
