fbpx

ભારત આવતા 2 જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થયા: ભારત સરકાર

Spread the love

ભારત આવતા 2 જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થયા: ભારત સરકાર

વધતા વૈશ્વિક તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને ભારત આવી રહેલા બે ભારતીય ધ્વજ ધરાવતા ટેન્કરો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયા છે. ભારત સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી રાજેશ કુમાર સિંહાએ નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, બંને જહાજોએ આજે વહેલી સવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સુરક્ષિત રીતે પાર કરી લીધી છે અને હવે તેઓ ભારતના પશ્ચિમ કિનારાના બંદરો તરફ આગળ વધી રહ્યા છે. આ માર્ગ વિશ્વના સૌથી સંવેદનશીલ જળમાર્ગો પૈકીનો એક છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આ વિસ્તારમાં જહાજોની સુરક્ષાને લઈને ચિંતાઓ પ્રવર્તી રહી છે, તેવામાં ભારતીય જહાજોનું સુરક્ષિત પસાર થવું વ્યૂહાત્મક રીતે મહત્વનું છે. આ ટેન્કરો ભારતના પશ્ચિમ કિનારે આવેલા મહત્વના બંદરો પર LPGનો જથ્થો પહોંચાડશે, જે દેશની ઉર્જા સુરક્ષા માટે અનિવાર્ય છે.

અગાઉના અહેવાલો મુજબ, જ્યાં ફ્રાન્સ અને ઈટાલી જેવા દેશો હજુ પણ ઈરાન સાથે સુરક્ષિત માર્ગ માટે વાટાઘાટો કરી રહ્યા છે, ત્યાં ભારતીય જહાજોનું સુરક્ષિત પસાર થવું એ ભારતની મજબૂત રાજદ્વારી સ્થિતિ અથવા નેવી દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષાનો સંકેત હોઈ શકે છે.

error: Content is protected !!