
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીની હજુ જાહેરાત નથી થઇ પરંતું પાટીદાર અનામત આંદોલન સમતિના નેતા અને ભાજપ સાથે સકળાયેલા અલ્પેશ કથિરીયાએ સોશિયલ મીડિયા પર એક પોષ્ટ મુકીને રાજકારણ ગરમાવી દીધું છે. અલ્પેશનું કહેવું છે કે, 2015માં પાસના આંદોલનેને કારણે કોંગ્રેસને 36 બેઠકો મળી હતી અને 2020માં પાસને કારણે આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી હતી. પરંતુ આ બંને પાર્ટીઓએ પાટીદાર સમાજ માટે કશું કામ કર્યું નથી એટલે આ વખતની ચૂંટણીમાં પાટીદારો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને મત નહીં આપશે અને સુરત મહાનગર પાલિકાની બધી બેઠકો ભાજપ જ જીતશે એવો કથિરીયાએ દાવો કર્યો છે.
અલ્પેશ કથિરીયાએ ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, પાર્ટી મને જવાબદારી આપે કે ન આપે, સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને જીતાડવાના પ્રયાસ કરીશે.
