fbpx

હોમિયોપેથી- સફેદ ગોળિયો ખરેખર કઇ રીતે અસર કરે છે, શું કહે છે વિજ્ઞાન? 

Spread the love

હોમિયોપેથી- સફેદ ગોળિયો ખરેખર કઇ રીતે અસર કરે છે, શું કહે છે વિજ્ઞાન? 

હોમિયોપેથીને લઈને વર્ષો જૂનો એક વિવાદ ચાલે છે. શું આ સારવાર પદ્ધતિ ખરેખર અસર કરે છે,  તેમાં વાસ્તવિક કોઇ વૈજ્ઞાનિક અસર પણ છે ખરી? તો આ પ્રશ્નોના જવાબ માટે જોઇએ કે આ અંગે વૈજ્ઞાનિક અભ્યાસો શું કહે છે?

દુનિયાભરમાં કરાયેલા કેટલાક મહત્વપૂર્ણ અભ્યાસોમાં જોવા મળ્યું છે કે હોમિયોપેથીની અસર ઘણા અભ્યાસોમાં  માનસિક કરતા શારિરિક વધુ જોવા મળી. આ તફાવત આંકડાકીય રીતે નોંધપાત્ર હતો. ખાસ કરીને વ્યક્તિગત રીતે આપવામાં આવેલી સારવારમાં સકારાત્મક પરિણામો જોવા મળ્યા.

02

વિશ્વમાં અત્યાર સુધી 300થી વધુ ક્લિનિકલ ટ્રાયલ્સ અને 100થી વધુ રોગોમાં હોમિયોપેથીનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. આમાંના ઘણા અભ્યાસો એલોપેથી દવાઓ બનાવવાની પદ્ધતિઓ જેમ કે રેન્ડમાઇઝ્ડ અને ડબલ-બ્લાઇન્ડ પદ્ધતિથી કરવામાં આવ્યા છે, જે આધુનિક વૈજ્ઞાનિક માપદંડો મુજબ વિશ્વસનીય માનવામાં આવે છે.

જોકે, એલોપેથી અને હોમિયોપેથીમાં મોટો ફર્ક એ છે કે એલોપેથી દરેક દર્દીને એક શરીર તરીકે જૂએ છે. એલોપેથીમાં રોગના લક્ષણોને આધારે દવા આપવામાં આવે છે.  જ્યારે હોમિયોપેથી દરેક દર્દીને એક અલગ વ્યક્તિ તરીકે જૂએ છે.  દરેક દર્દીને વ્યક્તિગત લક્ષણોને આધારે અલગ દવા આપવામાં આવે છે.  એટલે જો એલોપેથીના માપદંડોથી હોમિયોપેથીને ચકાસવામાં આવે તો તે તેના પરિણામો જુદા જ આવશે. 

આપણે એક સામાન્ય ઉદાહરણથી સમજીએ. દર્દીઓનું એક જૂથ છે. તમામને એક જ પ્રકારના અસ્થમાની તકલીફ છે. તમામની ઊંમર, વજન અને બીજુ બધું સરખું છે. હવે આમની સારવાર કરવી હોય તો એલોપેથીમાં તમામને લગભગ એક જ પ્રકારની દવા આપવામાં આવશે કારણ કે તમામના લક્ષણો એક જ પ્રકારના દેખાશે. જોકે, હોમિયોપેથીની પદ્ધતિ જુદી છે. હોમિયોપેથી પહેલા તમામ દર્દીઓમાં શું તફાવત છે, એ જોશે. કદાચ તમામ દર્દીઓને જુદી જુદી દવાઓ પણ આપવામાં આવે.   

03

આમ, એલોપેથી અને હોમિયોપેથી બન્ને પદ્ધતિઓ જ જુદી છે. બન્નેની પોતાની ખાસિયતો છે. બન્નેની પોતાની મર્યાદાઓ છે.  જોકે, ડિબેટ વર્ષોથી ચાલી આવી છે. હજુ પણ ચાલશે. અંતે તો દર્દીને પરિણામ શું મળે છે તે જ મહત્ત્વનું છે.જ્યાં હોમિયોપેથી કામ કરે છે ત્યાં તેનો ઉપયોગ કરાય અને જ્યાં એલોપેથી અસરકારક છે ત્યાં એલોપેથીને ઉપયોગમાં લેવાય. ભારત જેવા દેશમાં હોમિયોપેથીથી સારવાર કરાવનારા લાખો લોકો છે. તેમને જો ફાયદો થતો હશે તો જ ઉપયોગ કરતા હશે. આમ, આજના સમયમાં આખી દુનિયામાં ઇન્ટિગ્રેટિવ અપ્રોચ અપનાવાઇ રહ્યો છે. જે પદ્ધતિ જે રોગોમાં વધુ અસરકારક હોય છે તેનો ઉપયોગ કરવાનું વલણ વધી રહ્યું છે.

Leave a Reply

error: Content is protected !!