fbpx

સનાતન હેલ્થ કોંકલેવમાં 150થી વધુ ડોક્ટરો જોડાયા, ડો. પ્રવિણ તોગડીયાનું સંબોધન

Spread the love

સનાતન હેલ્થ કોંકલેવમાં 150થી વધુ ડોક્ટરો જોડાયા, ડો. પ્રવિણ તોગડીયાનું સંબોધન

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ  AHP અંતર્ગત ડોક્ટરો દ્વારા સેવા આયામ ઇન્ડિયા હેલ્થ લાઈન IHL દ્વારા  સનાતન હેલ્થ કોંકલેવ યોજાઇ હતી. SHCના આયોજન સુરતમાં સરથાણા, કઠોદરા, પાસોદરા અને મોટા વરાછા વિસ્તારના ડોક્ટરો માટે મેડિકલ સાયન્સ- ધર્મ અને રાષ્ટ્રના સંકલન દ્વારા સમાજ અને ધર્મને કઈ રીતે શ્રેષ્ઠ રીતે ઉપયોગી થઈ શકે તેની માહિતી IHL દ્વારા વિશેષ ચર્ચા થઈ.

1

આ કોન્ફરસમાં ડો. પ્રતીક સાવજ, ડૉ. નીરવ ગોંડલીયા, ડૉ. ભાવેશ કાચા, ડૉ. પૂર્વશ ઢાકેચા , ડૉ. રાહુલ ગેલાની અને ડૉ. નિલેશ ટાંક દ્વારા સનાતન હેલ્થ કોંકલેવમાં લેક્ચર રજૂ કરાયા હતા.  હિન્દુ હૃદય સમ્રાટ કેન્સર સર્જન ડોક્ટર પ્રવિણ તોગડીયાએ વિડિયો કોન્ફરન્સથી ડોક્ટરને સંબોધ્યા હતા.  આવનારા સમયમાં અને આજે ભારત ડાયાબિટીસ,બ્લડપ્રેશર અને કેન્સર જેવા રોગોનું વિશ્વમાં મુખ્ય મથક બન્યું છે. ત્યારે આવા સમયે દેશને બીમારીઓથી કેવી રીતે બચાવી શકાય. જીવનમાં કેવી રીતે ફેરફાર કરી શકાય. આપણા ભોજન અને આહાર વિહારમાં કઈ રીતે ફેરફાર કરીને રાષ્ટ્રને આવા રોગોથી બચાવીને એક સ્વસ્થ ભારત સુખી ભારત મિશન લોકો સુધી પહોંચવા દેશ ભરમાં ચાલતા 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર ઉપયોગી થશે તેની માહિતી આપી હતી.  150થી વધુ નામાંકિત ડોક્ટરઓ ભાગ લીધો.

Leave a Reply

error: Content is protected !!