fbpx

કેન્સરથી પિતાના મોત પછી સુરતમાં દીકરાએ જે કર્યું તેને સલામ કરવી જોઇએ

Spread the love

કેન્સરથી પિતાના મોત પછી સુરતમાં દીકરાએ જે કર્યું તેને સલામ કરવી જોઇએ

આજના સમયમાં કેન્સર થવાના કારણોમાં રાસાયણિક ખાતરથી આપણા ખોરાકમાં જતા રસાયણો પણ મોટો ભાગ ભજવે છે. પરંતુ તેનો ઉપાય આજ સુધી આપણે શોધી શક્યા નથી. આપણા દેશની વસ્તીને ધ્યાને રાખતા બધા જ લોકો રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી દે તે શક્ય પણ નથી. શક્ય હોય તેટલા નાના નાના પ્રયત્નોથી આપણે આ સમસ્યાને નિવારી શકીશું. સૂરતમાં આવી એક ઘટના બની છે. કેન્સરથી પિતાના મોત પછી એક દીકરાએ તેની ખેતીમાં રાસાયણિક ખાતર વાપરવાનું જ બંધ કરી દીધું.  

આ કિસ્સો છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલનો.  તેમણે વ્યક્તિગત દુઃખને સમાજ માટે પ્રેરણામાં ફેરવી દીધું છે. પિતાના કેન્સરથી થયેલા અવસાન બાદ તેમણે રાસાયણિક ખેતી સંપૂર્ણપણે છોડી કુદરતી ખેતીનો માર્ગ અપનાવ્યો. આજે તેઓ ગુજરાતમાં કુદરતી ખેતીના સફળ ખેડૂત તરીકે ઓળખાઈ રહ્યા છે. 

03

કલ્પેશ પટેલના પિતા રમણભાઈ પટેલ વર્ષો સુધી ખેતરમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરતા હતા. કલ્પેશ જણાવે છે કે પિતાના શરીરમાંથી હંમેશા જંતુનાશકોની ગંધ આવતી હતી. જ્યારે તેમના પિતાને કેન્સર થયું, ત્યારે તેમને સમજાયું કે રાસાયણિક ખેતીના આરોગ્ય પર ગંભીર પ્રભાવ પડી શકે છે. પિતાના અવસાન પછી તેમણે નક્કી કર્યું કે હવે તેઓ ખેતીમાં ઝેરી રસાયણોનો ઉપયોગ નહીં કરે. 

વર્ષ 2019માં કલ્પેશે પોતાની જમીન પર કુદરતી ખેતીનો પ્રયોગ શરૂ કર્યો. સુરતની ખાનગી કંપનીમાં કેમિકલ ઓપરેટર તરીકે નોકરી સાથે તેમણે ગુજરાત કૃષિ વિભાગ દ્વારા આયોજિત તાલીમમાં ભાગ લીધો અને જીવામૃત જેવી કુદરતી પદ્ધતિઓ શીખી. 

આજે તેઓ લગભગ સાડા ત્રણ બીઘા જમીનમાં 50થી વધુ જાતની કેળાની ખેતી કરે છે. તેમાં પૂવન, રસથાળી, બસરાઈ, લાલ કેળું, એલચી અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બ્લૂ જાવા જેવી જાતોનો સમાવેશ થાય છે. તેમના ખેતરમાં ઉત્પન્ન થતી કેળાની લૂમો સામાન્ય રીતે 30 કિલોથી વધુ વજન ધરાવે છે. વર્ષ 2025માં તેમના ખેતરમાં 73 કિલો વજનની કેળાની લૂમ ઉત્પન્ન થતાં કૃષિ વૈજ્ઞાનિકો અને દેશભરના ખેડૂતોનું ધ્યાન ખેંચાયું હતું. 

02

કલ્પેશ પટેલનો આ કિસ્સો સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે બતાવી આપ્યું છે કે માત્ર રસાયણિક ખાતરથી જ સફળ ખેતી થઇ શકે તેમ નથી.

Leave a Reply

error: Content is protected !!