
સ્વામી વિવેકાનંદ બાલિકા શિક્ષા પ્રચાર સમિતિ, જયપુર દ્વારા શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અનુકરણીય કાર્ય તથા સિદ્ધિ માટે દેશના 5 શિક્ષણવિદોની ‘સ્વામી વિવેકાનંદ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ’ માટે પસંદગી કરવામાં આવી હતી. આ 5 શિક્ષણવિદોમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિભાગના રિટાયર્ડ પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ ડૉ. સતીશ પટેલની પસંદગી કરવામાં આવી હતી.
Gujarat Business Directory
આ એવોર્ડ ડૉ. સતીશ પટેલને ગાંધી ચિંતન અને શાંતિ અભ્યાસ વિભાગ, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેમિનારના ઉદ્ઘાટન સમારંભમાં તારીખ 28-05-2026ના રોજ વડોદરા ખાતે પ્રદાન કરવામાં આવ્યો હતો.