
લખનૌના અલીગંજના પુરાનિયા વિસ્તારમાં એક ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. બધા મૃતકો 20થી 24 વર્ષની વયના હોવાનું કહેવાય છે. આગ એક પાલતુ પ્રાણીની દુકાન અને ગેમિંગ ઝોનમાં લાગી હતી. ફાયર ફાઇટર અને પોલીસે બચાવ કામગીરી પુરી કરી લીધી છે, PM અને CM યોગીએ શોક વ્યક્ત કર્યો અને વળતરની જાહેરાત પણ કરી હતી.
લખનઉના અલીગંજના પુરનિયા વિસ્તારમાં સોમવારે લાગેલી ભીષણ આગથી સમગ્ર શહેર હચમચી ગયું છે. આ દુ:ખદ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોની ઉંમર 20થી 24 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઇમારતમાં અચાનક આગ લાગી અને થોડીવારમાં જ આખી ઇમારત ધુમાડા અને જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. આગને કારણે આખા વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, લોકો જીવ બચાવવા આમ તેમ ભાગતા નજરે પડ્યા હતા. આ ઘટનાની માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી બૃજેશ પાઠક રડી પડ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, તેમણે જ 14 લાશ જોઈ છે.

શરૂઆતમાં, આ ઘટના કોચિંગ સેન્ટર અને લાઇબ્રેરી સાથે જોડાયેલી હતી, પરંતુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પાછળથી સ્પષ્ટતા કરી કે બિલ્ડિંગમાં કોઈ કોચિંગ સેન્ટર કે લાઇબ્રેરી કાર્યરત નહોતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગ્રાઉન્ડ ફ્લોર પર પાલતુ પ્રાણીઓની દુકાન હતી, જ્યારે ઉપરના માળે ગેમિંગ ઝોન હતું જ્યાં કર્મચારીઓ ગેમિંગ સોફ્ટવેર પર કામ કરતા હતા.
આગ લાગ્યા પછી, ઉપરના માળે રહેલા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. કેટલાક લોકો બાથરૂમમાં ફસાયેલા હોવાના કહેવાતા અહેવાલો સામે આવ્યા હતા, પરંતુ ત્યાર પછી, બચાવ કામગીરી દરમિયાન, બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર અને પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, અને સ્થાનિક રહેવાસીઓએ પણ બચાવ કાર્યમાં મદદ કરી હતી. આગની તીવ્રતા એટલી બધી હતી કે, ઘણા લોકો બહાર નીકળવા માટે અને બચવા માટે બાલ્કની અને બિલ્ડિંગના અન્ય ભાગોનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. એક વ્યક્તિએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગમાંથી કૂદી પડ્યો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
વ્યાપક પ્રયાસો પછી, ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો છે. આગ ફરી ભડકે નહીં તે માટે હાલમાં કૂલિંગ કામગીરી ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતાં, CM યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો. તેમણે ઘાયલોને યોગ્ય સારવાર મળે અને વહીવટીતંત્રને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો.

DyCM બ્રજેશ પાઠકે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું. તેમણે અહેવાલ આપ્યો કે મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે, જે બધાની ઉંમર 20થી 24 વર્ષની વચ્ચે છે. CM યોગી આદિત્યનાથે હવે વધુ કડક વલણ અપનાવતા, પોલીસ મહાનિર્દેશક (DGP) અને અધિક મુખ્ય સચિવ (ગૃહ)ને તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લેવા અને સંપૂર્ણ અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. CM યોગી આદિત્યનાથે જણાવ્યું છે કે, સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને દોષિતોને સજા કરવામાં આવશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે અને દોષિતો સામે કાર્યવાહી કરીને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવશે.
PM કાર્યાલયે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારોને માટે વળતરની જાહેરાત કરી છે. PM કાર્યાલયે જણાવ્યું છે કે, મૃતકોના પરિવારોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય મળશે. લખનઉ પોલીસ અને વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે, અને વહીવટીતંત્ર ઘટનાના દરેક પાસાં પર નજીકથી નજર રાખી રહ્યું છે.