fbpx

રાશનના નિયમોમાં ફેરફાર; હવે કુટુંબ દીઠ નહીં, પરિવારના દરેક સભ્યના હિસાબે અનાજ મળશે, 7 કિલો…

Spread the love

રાશનના નિયમોમાં ફેરફાર; હવે કુટુંબ દીઠ નહીં, પરિવારના દરેક સભ્યના હિસાબે અનાજ મળશે, 7 કિલો...

કેન્દ્ર સરકારે દેશના સૌથી ગરીબ પરિવારો માટે અમલમાં મુકાયેલી અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ રાશન વિતરણ નિયમોમાં મોટો ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સરકાર પ્રતિ પરિવાર નિશ્ચિત 35 કિલો રાશનને બદલીને પ્રતિ વ્યક્તિ દર મહિને 7 કિલો અનાજ આપવાનું વિચારી રહી છે. જોકે, કુલ ફાળવણી 35 કિલો રહેશે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (સુધારા) બિલ, 2026નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે અને 13 જુલાઈ સુધી લોકોના મંતવ્યો માંગવામાં આવ્યા છે.

AAY Ration Rule Change

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, વર્તમાન સિસ્ટમ હેઠળ, અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થી પરિવારોને પરિવારના સભ્યોની સંખ્યાને ધ્યાનમાં લીધા વિના દર મહિને 35 કિલો અનાજ મળે છે. પ્રાથમિકતા ઘરગથ્થુ લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ મળે છે. સરકારનું કહેવું છે કે આ સિસ્ટમથી ઘણીવાર મોટા AAY પરિવારોને પ્રતિ વ્યક્તિ ઓછું અનાજ મળે છે, ભલે તેઓ સૌથી ગરીબ શ્રેણીમાં આવે. આ અસમાનતાને દૂર કરવા માટે એક નવો પ્રસ્તાવ ઘડવામાં આવ્યો છે.

ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અંત્યોદય અન્ન યોજના હેઠળની વર્તમાન કુટુંબ-આધારિત પ્રણાલીનો હેતુ નબળા વર્ગોને સુરક્ષા પૂરી પાડવાનો હતો, પરંતુ તે પરિવારના કદના આધારે ખુબ મોટી અસમાનતા ઊભી કરી રહી છે.’ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત ફેરફારોથી મોટા પરિવારોને વધુ લાભો પૂરા પાડશે અને વધુ સમાન રાશન વિતરણ સુનિશ્ચિત કરશે.

AAY Ration Rule Change

પ્રસ્તાવ મુજબ, બે સભ્યો ધરાવતા AAY પરિવારને દર મહિને 14 કિલો અનાજ મળશે. 5 કે તેથી વધુ સભ્યો ધરાવતા પરિવારોને મહત્તમ 35 કિલો અનાજ મળતું રહેશે. આનો અર્થ એ છે કે, મોટા પરિવારોને તેમના સભ્યોની સંખ્યાના આધારે વધુ લાભો મળશે, જ્યારે નાના પરિવારો માટે ફાળવણી પ્રમાણમાં ઓછી હોઈ શકે છે.

AAY Ration Rule Change

સરકારે આ સુધારાને ખોરાક અને પોષણ સુરક્ષાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. મંત્રાલય જણાવે છે કે આ ફેરફાર ‘માનવ જીવન ચક્ર અભિગમ’ સાથે સુસંગત છે, જેનો હેતુ દરેક વ્યક્તિને પોષણક્ષમ ભાવે પર્યાપ્ત અને ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનો છે. હાલમાં, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ, પ્રાથમિકતા અને અંત્યોદય શ્રેણી બંનેમાં લાભાર્થીઓને ચોખા અને ઘઉં મફતમાં પૂરા પાડવામાં આવે છે.

Leave a Reply

error: Content is protected !!