16.jpg?w=1110&ssl=1)
મધ્ય પ્રદેશના CM મોહન યાદવ જમીનના સોદા માટે સમાચારમાં છે. એક અંગ્રેજી અખબારે આરોપ લગાવ્યો છે કે, CM મોહન યાદવ અને તેમના પરિવારના સભ્યોએ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે મોટા પાયે જમીન ખરીદી હતી. આ પછી, મંત્રીઓની મિલકતને લગતા નિયમો અંગે ચર્ચા ચાલી રહી છે. ચાલો જોઈએ કે મંત્રી બન્યા પછી રાજકારણીઓએ કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને પોતાના વ્યવસાયમાં તેમણે કઈ સાવચેતીઓ ધ્યાનમાં રાખવી જોઈએ.
સરકારની આચારસંહિતા અનુસાર, બધા રાજ્ય મંત્રીઓએ દર વર્ષે CMને અને કેન્દ્રીય મંત્રીઓએ PMને તેમની સંપત્તિની જાણ કરવી જરૂરી છે. બીજી તરફ, CMએ PM અથવા ગૃહ પ્રધાનને તેમની સંપત્તિની જાણ કરવી જરૂરી છે. મંત્રીઓએ સ્થાવર મિલકત, શેર અને ડિબેન્ચર, રોકડ અને દાગીનાની અંદાજિત માહિતી આપવી આવશ્યક છે. આ ઉપરાંત, મંત્રી બન્યા પછી, તેમણે તેમના વ્યવસાયોના સંચાલન અને વહીવટને લગતા તમામ સંબંધો તોડી નાખવા જોઈએ. જ્યાં સુધી મંત્રી પદ પર હોય ત્યાં સુધી, તેમણે દર વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં PM અથવા CMને તેમની સંપત્તિ અને પાછલા નાણાકીય વર્ષની જવાબદારીઓની જાણ કરવી આવશ્યક છે.
મંત્રીએ તેમનો વહીવટમાંનો પોતાનો હિસ્સો પણ ટ્રાન્સફર કરવો પડશે, પરંતુ તેમના જીવનસાથીને આપવો ન જોઈએ. કોઈપણ વ્યવસાય જેમાં સરકાર સાથે મળીને કામ કરવાનું હોય, જેમ કે લાઇસન્સ, પરમિટ, લીઝ, ક્વોટા અથવા ટેન્ડર, વગેરે વ્યવસાયમાંથી પોતાને દૂર કરવો પડશે.
આ ઉપરાંત, તેમણે સરકાર પાસેથી કોઈપણ સ્થાવર મિલકત ખરીદવા અથવા વેચવાથી દૂર રહેવું પડશે. જો મિલકત સામાન્ય પ્રક્રિયા દ્વારા હસ્તગત કરવામાં આવી હોય, તો તે અલગ બાબત છે. ઉપરાંત, તેમણે મંત્રી બન્યા પછી કોઈપણ વ્યવસાય શરૂ કરવાથી અથવા કોઈપણ નવા વ્યવસાયમાં પોતાને સામેલ કરાવવાથી દૂર રહેવું પડશે.
તેમના પરિવારના સભ્યોએ પણ એવા કોઈપણ વ્યવસાય ન કરી શકે કે જે સરકાર અથવા પરમિટ, લાઇસન્સ, લીઝ વગેરે સાથે સંબંધિત હોય. જો પરિવારનો કોઈ સભ્ય અન્ય કોઈ વ્યવસાય સ્થાપિત કરે છે અથવા તેના સંચાલન અને વહીવટ કરવામાં ભાગ લે છે, તો મંત્રીએ PM અને CMને જાણ કરવી પડશે.
તેમણે કોઈપણ હેતુ માટે, પછી ભલે તે રાજકીય હોય, સખાવતી હોય કે અન્ય, પોતે અથવા તેમના પરિવારના કોઈપણ સભ્ય દ્વારા કોઈપણ ફાળો (દાન) સ્વીકારવો જોઈએ નહીં. જો કોઈ રજિસ્ટર્ડ સંસ્થા, સખાવતી સંસ્થા, જાહેર સત્તામંડળ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા, અથવા રાજકીય પક્ષ માટે તેમને કોઈ પૈસા અથવા ચેક આપવામાં આવે છે, તો તેને જે તે સંસ્થામાં મોકલવા જોઈએ, જેના હેતુ માટે તે લેવામાં આવ્યું છે. તેમણે કોઈપણ ભંડોળ ઊભું કરવાની પ્રવૃત્તિમાં પોતાને જોડવા જોઈએ નહીં.
આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રીઓ, CM અને રાજ્ય સરકારના મંત્રીઓ અને તેમના સહયોગીઓ PMની મંજૂરી વિના ભારતમાં અથવા વિદેશમાં કોઈપણ વિદેશી સરકાર અથવા વિદેશી સંસ્થા હેઠળ કામ કરી શકતા નથી. જો કોઈ પહેલાથી જ અસ્તિત્વમાં હોય, તો તેમણે તેનો ખુલાસો કરવો જોઈએ. કોઈપણ વિદેશી મિશનમાં રોજગાર પર સખત પ્રતિબંધ હોવો જોઈએ.
મંત્રીએ નજીકના સંબંધીઓ પાસેથી મળેલી ભેટો સિવાય કોઈપણ કિંમતી ભેટ સ્વીકારવી જોઈએ નહીં. તેમજ તેમના પરિવારના કોઈપણ સભ્યએ પણ એવી કોઈપણ વ્યક્તિ પાસેથી ભેટ સ્વીકારવી જોઈએ નહીં જેની સાથે મંત્રીનો સત્તાવાર સંબંધ અથવા વ્યવહાર હોય. મંત્રીએ કે તેમના પરિવારના કોઈપણ સભ્યને એવી કોઈ લોન લેવી જોઈએ નહીં કે લેવાની પરવાનગી આપવી જોઈએ નહીં, જે તેમની સત્તાવાર ફરજો નિભાવવામાં અસુવિધા થતી હોય થવા પૂર્વગ્રહનું કારણ બનતી હોય.
મંત્રી વિદેશ પ્રવાસ પર અથવા ભારતમાં હોય ત્યારે વિદેશી મહાનુભાવો પાસેથી ભેટો મેળવી શકે છે. આવી ભેટો બે શ્રેણીઓમાં આવે છે. પ્રથમ શ્રેણીમાં એવી ભેટોનો સમાવેશ થાય છે જે પ્રતીકાત્મક રીતે પ્રકૃતિની હોય છે, જેમ કે તલવારો, પોશાક, વગેરે, જે તે રાખી શકે છે. બીજી શ્રેણીમાં એવી ભેટોનો સમાવેશ થાય છે જે પ્રતીકાત્મક પ્રકૃતિની નથી હોતી. જો તે ભેટની કિંમત રૂ. 5000થી ઓછી હોય, તો મંત્રી તેને રાખી શકે છે. જો કિંમત તેનાથી વધુ હોય, તો મંત્રીએ તેને સરકારને સોંપવી પડશે.