
લોકસભામાં 29 જુલાઇએ રજિસ્ટ્રેશન ઓફ બર્થસ એન્ડ ડેથ્સ રજિસ્ટ્રેશન (અમેડમેન્ટ) 2026 પાસ થઇ ગયું છે. દેશમાં ઘણા લોકો વર્ષો સુધી જન્મ અને મરણની નોંધણી કરાવતા નથી જેને કારણે નકલી દસ્તાવેજો, સરકારી યોજનાઓમાં ગેર રીતી અને ઓળખ સંબંધી સમસ્યાઓ ઉભી થતી હતી.
અગાઉના કાયદામાં 1 વર્ષથી વધારે મોડી નોંધણી પર મેજીસ્ટ્રેટની મંજૂરી લેવાતી હતી હવે નવા બિલના સુધારામાં આ મર્યાદા વધારીને 2 વર્ષ કરવામાં આવી પરંતુ મંજૂરી એક માત્ર જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની મંજૂરી ફરજીયાત લેવી પડશે. હજુ બિલનું કાયદામાં રૂપાંતર થયું નથી એટલે જેમણે હજુ જન્મ-મરણનું રજિસ્ટ્રેશન કરાવ્યું ન હોય તેઓ કરાવી લે નહીં તો કોર્ટના ચકકર કાપવા પડશે. રાજ્યસભામાં બિલ પસાર થયા પછી રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બનશે.