fbpx

બધી પાર્ટીઓ વિચારતી જ રહી ગઈ, ક્રીમી લેયર પર સ્ટેન્ડ લઈને BJP લઈ લીધું એડવાન્ટેજ

Spread the love

સુપ્રીમ કોર્ટની અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)માં ક્રીમી લેયર બનાવવાના સૂચન પર સરકારે શુક્રવારે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધું છે અને સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે અનામતની સિસ્ટમ સાથે છેડછાડનો કોઈ ઇરાદો નથી. રાજકીય રીતે આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દા પર મુખ્ય વિપક્ષી પાર્ટીઓના મૌન વચ્ચે સરકારના આ સ્ટેન્ડને એડવાન્ટેજ લેવા તરીકે જોવામાં આવી રહ્યું છે.

સરકારે તેના માધ્યમથી એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે, તે અનામતના મુદ્દા પર દલિતો અને પછાતો સાથે ઊભી છે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણયના માધ્યમથી સરકારે 2 તરફથી લીડ લેવાનો પ્રયાસ કર્યો છે. બીઆર આંબેડકરના સંવિધાન મુજબ SC-ST અનામતમાં ક્રીમી લેયરનું કોઈ પ્રાવધાન નથી. આ લાઇન શુક્રવારે મોડી રાત્રે કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા કેન્દ્રીય સૂચના પ્રસારણ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહી.

આ લાઇનને ધ્યાનથી વાંચીશું તો ઘણી વસ્તુ સમજમાં આવે છે. તેમાં બાબા સાહેબ આંબેડકરની વાત છે, સંવિધાનનો પણ ઉલ્લેખ છે અને સ્પષ્ટ રૂપે પૂરી લાઇનનો મર્મ એજ છે કે પાર્ટી દલિતો સાથે મજબૂતીથી ઊભી છે અને સંવિધાનમાં સામેલ તેમના હિતોની રક્ષક છે. એવામાં હવે વિપક્ષી પાર્ટીઓ મતે સરકાર પર દલિત કે સંવિધાન વિરોધી હોવાનો અનુમાન લગાવવો મુશ્કેલ હશે. ભાજપ પોતાના આ નિર્ણયના માધ્યમથી જવાબ આપી શકે છે.

આગામી ચૂંટણીઓમાં ભાજપ આ મૂવના માધ્યમથી દલિતોના હિતોની હિતેચ્છુ પાર્ટી તરીકે પોતાને વધુ મજબૂતીથી સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. તેની સાથે જ સંવિધાનની વાત કરીને ભાજપે વિપક્ષની કાટ કાઢી દીધી છે જે તેના પર ચૂંટણીથી લઈને સાંસદ સુધી સતત સંવિધાન વિરોધી હોવાનો આરોપ લગાવતા ઘેરી રહ્યું હતું. જો કે, કેન્દ્ર સરકારે ક્રીમી લેયરને લઈને સ્પષ્ટ કંઇ કહ્યું નથી, પરંતુ જે પ્રકારની ટિપ્પણી કેન્દ્રીય મંત્રીએ કરી છે, તેને તેની સાથે જોડીને જોવામાં આવે છે.

એવામાં કેન્દ્ર સરકારે એ તો સ્પષ્ટ કરી દીધું છે કે આ મુદ્દા પર તેમણે સૌથી પહેલા સ્ટેન્ડ લઈને એ સ્પષ્ટ કરી દીધું છે કે તે હાલમાં આ પ્રકારના કોઈ પ્રાવધાન લાગૂ કરવા જઇ રહી નથી. કેન્દ્ર સરકારનું આ વલણ એટલે પણ ખૂબ ખાસ થઈ જાય છે કેમ કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને લઈને એમ કહેવામાં આવી રહ્યું હતું કે ક્રીમી લેયરનું પ્રાવધાન કરવામાં આવ્યું તો તેનાથી એક મોટો વર્ગ નારાજ થઈ શકે છે.

સરળ શબ્દોમાં કહીએ તો જો ક્રીમી લેયરના પ્રાવધાનને સમજવાનો પ્રયાસ કરીએ તો આપણે તેને એવી રીતે સમજી શકીએ છીએ કે અનુસૂચિત જાતિ અને જન જાતિ હેઠળ અનામતનો ફાયદો લેતા હવે જે લોકો સમૃદ્ધ અને સંપન્ન થઈ ચૂક્યા છે તેમને હવે પહેલાની જેમ પૂરો ફાયદો નહીં મળી શકે, જ્યારે આ જાતિઓમાં જે લોકો અત્યારે ગરીબ કે પછાત છે તેમને સંપન્ન લોકોની તુલનામાં વધારે અનામત આપવાના પ્રાવધાનની વાત કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે અનામત આપતી વખત એવા લોકોની ચિહ્નિત કરીને ક્રીમી લેયરમાં રાખવામાં વાત કહી હતી જે લોકો અનામત લીધા બાદ સંપન્ન થઈ ચૂક્યા છે.

error: Content is protected !!