fbpx

કંગનાનો દાવો- લગ્નમાં આવવા અનંતે ફોન કરેલો, આ કારણે ન જવાયું

Spread the love

બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ આ જ વર્ષે 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. તેમનું વેડિંગ ફંક્શન ખૂબ ભવ્ય રહ્યું હતું, જેમ દેશ-વિદેશના મોટા બિઝનેસમેન સાથે લગભગ આખા બોલિવુડને આમંત્રિત કરવામાં આવ્યું હતું. સેલિબ્રિટીઓનો જમાવડાઓ લાગ્યો હતો. ખૂબ ચર્ચાઓ પણ થઈ. શાહરુખ ખાન, સલમાન ખાન સહિત ઘણા મોટા સ્ટાર્સે અનંત અંબાણીના લગ્નમાં સામેલ થયા હતા. એવામાં કંગના રણૌત આ વેડિંગ ફંક્શનમાં પહોંચી શક્યા નહોતા.

એવામાં હવે એક મહિના બાદ જ એક્ટ્રેસ કંગના રણૌતે ફંક્શન ન એટેન્ડ કરી શકવા પાછળના કારણ બાબતે જણાવ્યું. તેમનું કહેવું છે કે તેઓ મોટા ભાગે આવા અને ફિલ્મો લગ્નોમાં જવાનું એવોઈડ જ કરે છે. કંગના રણૌત હાલના દિવસોમાં ફિલ્મ ‘ઇમરજન્સી’ની રીલિઝને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેઓ હાલમાં જ સિદ્ધાર્થ કાનનના પોડકાસ્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન એક્ટ્રેસે ઘણી બધી વાતો કહી. આ દરમિયાન તેમણે અનંત અંબાણીના લગ્ન એટેન્ડ ન કરવાને લઈને પણ વાત કરી હતી.

કંગના રણૌતે દાવો કર્યો કે, તેમને પોતે અનંતે ફોન કરીને આમંત્રિત કર્યા હતા, પરંતુ એ દરમિયાન તેમના ઘરમાં પણ ફંક્શન હતું. કંગના રણૌતે અનંત અંબાણીના લગ્નમાં ન જવાને લઈને કહ્યું કે અનંત ખૂબ સુંદર છોકરો છે. તેમણે એક્ટ્રેસને ફોન કરીને વેડિંગ ફંક્શનમાં આમંત્રિત કર્યા હતા. તેના પર એક્ટ્રેસે જવાબ આપ્યો હતો કે તેમના પોતાના ઘરમાં લગ્ન છે. તેઓ બતાવે છે કે એ દિવસ ખૂબ શુભ હતો. તેમના નાના ભાઈના પણ લગ્ન હતા. અંતમાં એક્ટ્રેસે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ આમ પણ ફિલ્મી લગ્નોમાં જતા બચે છે.

ઉલ્લેખનીય છે કે, અનંત અને રાધિકાના લગ્ન અગાઉ ઘણા ફંક્શન રાખવામાં આવ્યા હતા, જેમાં બોલિવુડના તમામ સ્ટાર પહોંચ્યા હતા, પરંતુ કોઈ પણ પ્રી-વેડિંગમાં કંગના રણૌત પહોંચ્યા નહોતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પહેલું પ્રી વેડિંગ ફંક્શન જામનગરમાં હોસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોને ભોજન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 29 મેથી 2 જૂન સુધી બીજી પ્રી વેડિંગ ક્રૂઝ પાર્ટી રાખવામાં આવી હતી. પછી ગ્રાન્ડ પ્રી વેડિંગ બેઝ બાદ અનંત અને રાધિકાર 12 જુલાઇના રોજ મુંબઇમાં ગ્રાન્ડ વેડિંગ કરી લીધા હતા. એ ત્રણ દિવસ સુધી ચાલ્યા.

error: Content is protected !!