fbpx

‘શું આ સત્તાનો..’, ખરગેના પુત્રને સસ્તા દરે જમીન આપી તો ભાજપ થઇ…

Spread the love

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેના પુત્ર રાહુલ ખરગેને ફાળવવામાં આવેલી જમીનનો મામલો વેગ પકડી રહ્યો છે. આ મામલો હવે કર્ણાટકના રાજ્યપાયલ થાવર ચંદ ગેહલોતના દરબારમાં પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) સતત આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે. આ જમીન રાહુલ ખરગેને બેંગ્લોર પાસે એરોસ્પેસ કોલોનીમાં SC/ST કોટા હેઠળ સસ્તા દરે આપવામાં આવી છે. તેના પર ભાજપ સવાલ ઉઠાવી રહી છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના પુત્રને સસ્તા દરે જમીન કઇ રીતે આપી શકાય છે?

રાહુલ ખરગેને હાલમાં જ કર્ણાટક ઇન્ડસ્ટ્રિયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડે 5 એકર જમીન ફાળવી છે. રાહુલ ખરગેને આ જમીન બેંગ્લોર પાસે એરોસ્પેસ કોલોનીમાં SC/ST કોટા હેઠળ સસ્તા દરે આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ખરગે ઇન્ડિયન રેવેન્યૂ સર્વિસના અધિકારી હતા, પરંતુ તેમણે રાજીનામું આપી દીધું અને IT કંપનીઓમાં સલાહકાર તરીકે કામ કરે છે. તેમણે IISCમાં રિસર્ચ પૂરું કર્યું છે અને તેમના પત્ની પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે.

રાહુલ ખરગેને જમીન ફાળવવાનો મામલો RIT એક્ટિવિસ્ટ કોલાહલ્લીએ ઉઠાવ્યો હતો. તેમણે રાજ્યપાલ થવારચંદ ગેહલોતને ફરિયાદ કરી છે કે રાહુલ ખરગેને ઉચિત નિયમો અને પ્રોટોકૉલને નેવે મૂકીને એરોસ્પેસ કોલોનીમાં 5 એકર જમીન ફાળવવામાં આવી છે. એ પૂરી રીતે અનિયમિતતા તરફ ઇશારો કરે છે. આ બાબતની તપાસ અને દોષી પર કાર્યવાહી થવી જોઇએ. કર્ણાટકમાં ભારે ઉદ્યોગ મંત્રી એમ.બી. પાટીલ, જેમણે રાહુલ ખરગે સાથે જોડાયેલી NGO સુદ્ધાર્થ વિહાર ટ્રસ્ટને જમીન ફાળવી છે.

તેમનું કહેવું છે કે, રાહુલ ખરગેએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે જમીન માટે અરજી કરી હતી. તેમાં ખોટું શું છે? તેમણે IT કે ITESનો અભ્યાસ કર્યો છે. તેઓ ખૂબ ભણેલા-ગણેલા વ્યક્તિ છે. તેમાં કોઇ છૂટ નથી. આ સિવિક એમેનિટિઝ સાઇઝ SC/STને ફાળવવા માટે છૂટ આપે છે. અહી અમે 24.1 ટકા આપી રહ્યા છીએ. એ પહેલા નહોતું. તેમને પણ અધિસૂચિત કરવામાં આવ્યા છે. તેઓ સામાન્ય શ્રેણીમાં પણ યોગ્ય હશે. એ યોગ્યતા મુજબ ફાળવવામાં આવે છે.

એમ.બી. પાટીલ બાદ આ મામલે રાહુલ ખરગેના નાના ભાઇ પ્રિયંક ખરગેએ સફાઇ આપી કે, કર્ણાટક સરકારમાં IT મંત્રી છે. તેમણે કહ્યું કે, ડિપાર્ટમેન્ટે 197 CA સાઇટ્સ વેચવા માટે અરજી માગી હતી. માત્ર 43 કે 47 ખરીદદાર સામે આવ્યા એટલે કે સપ્લાઇ વધુ અને ડિમાન્ડ ઓછી. એવામાં પક્ષપાતનો સવાલ ક્યાં ઉઠે છે. એ પણ ત્યારે જ્યારે બધી સાઇટ્સની રેટ નક્કી હોય. ભાજપના રાજ્યસભાના સાંસદ લહર સિંહે પણ ટ્વીટ કરીને આ મમાલાને ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ખરગે પરિવાર ક્યારથી એરોસ્પેસ ઉદ્યમી બની ગયો કે તેમને KIADBની જમીન મળી જાય? શું એ સત્તાનો દુરુપયોગ, ભાઇ-ભત્રીજાવાદ અને હિતોના ટકરાવનો મામલો નથી?

error: Content is protected !!