fbpx

વડોદરામાં 3 દિવસથી ભૂખ્યા તરસ્યા લોકોએ ભાજપ નેતાઓને ઉભી પુંછડીએ ભગાડ્યા

Spread the love

વડોદરામાં આ વખતે ભારે વરસાદ અને તેની સાથે વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કેટલાંક વિસ્તારોમાં તો લોકો 3 દિવસથી ભુખ્યા તરસ્યા રહ્યા હતા. ભાજપના મેયર, કોર્પોરેટ, ધારાસભ્ય, શહેર પ્રમુખ,મંત્રી જ્યારે વડોદરામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયા ત્યારે લોકોનો એટલો આક્રોશ હતો કે આ નેતાઓએ ઉભી પૂંછડીએ ભાગી જવું પડ્યું હતું.

વડોદરામાં કોર્પોરેટર બંદિશ શાહ, મેયર પિન્કી સોની, ધારાસભ્ય મનીષા વકીલ, રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી, શહેર પ્રમુખ ડો. વિજય શાહ, વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા લોકોને મળવા ગયા તો લોકોએ તેમને ભગાડી મુક્યા હતા. લોકોએ કહ્યું હતું કે જ્યારે  અમે એક બુંદ પાણી માટે ટળવળતા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા?

error: Content is protected !!