fbpx

પાકિસ્તાનનો PM કહે છે જૂનાગઢ અમારું છે, જાણો કેમ કરી રહ્યો છે તે આવો દાવો

Spread the love

ગુજરાતના જુનાગઢમાં એક નવાબ એવા હતા જેમનો કુતરા પ્રત્યેનો પ્રેમ અજીબોગરીબ હતો. એટલો પ્રેમ કે જ્યારે ભારતથી પાકિસ્તાન ભાગ્યા ત્યારે પોતાની બેગમને બદલે વિમાનમાં કુતરાને સાથે લેતા ગયા હતા.

આ વાત અત્યારે એટલા માટે યાદ કરી છે કારણકે, પાકિસ્તાને ફરી એક વખત જુનાગઢને લઇને રાગ આલાપ્યો છે. આરોપ લગાવી રહ્યું છે કે, ભારતે ગેરકાયદે જુનાગઢ પર કબ્જો કરેલો છે.

એ સમયે જુનાગઢમાં નવાબ હતા મહાબત રસુલખાન. તેમને કુતરા પ્રત્યે એટલો લગાવ હતો કે તેમણે 800 કુતરા પાળ્યા હતા અને દરેક ડોગ માટે એક અલ- અલગ ઘરની વ્યવસ્થા કરી હતી. આ બધામાં રોશન નામની એક ફિમેલ ડોગ નવાબને બહુ પ્રિય હતી. પોતાના જ કુતરા બોબી સાથે રોશનના લગ્ન કરાવેલા અને તે સમયે નવાબે 9 લાખ રૂપિયા ખર્ચેલા, જે આજના સમયમા 10 કરોડ રૂપિયા થાય.

નવાબ મહાબત ભારતમાંથી ભાગ્યો ત્યારે 4 કુતરાને વિમાનમાં સાથે લેતો ગયો હતો અને કહ્યું હતું કે, બેગમ તો પાકિસ્તામાં મળી જશે, પરંતુ કુતરા નહીં મળે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg



error: Content is protected !!