fbpx

વરાછામાં ક્રેઇનને કારણે તુટી ગયેલો બંગલો નવો બનશે, જાણો કેટલા રૂપિયા ખર્ચ થશે?

Spread the love

સુરતમાં 22 ઓગસ્ટના દિવસે વરાછા વિસ્તારમાં મેટ્રો રૂટનું કામ ચાલે છે એ સમયે LG બોક્સના લોચિંગ દરમિયાન ક્રેઇન તુટી પડી હતી અને નજીકના એક બંગલા પર પડી હતી. સદનસબી એ સમયે બંગલામાં કોઇ નહોતું.

હવે આ બંગલાને મેટ્રોના કોન્ટ્રાકટર રણજીત બિલ્ડકોન નવો બનાવીને આપશે. મેટ્રોનો કોન્ટ્રાકટર કોઇ ખાનગી વ્યક્તિને બંગલો બનાવી આપે તેવી આ પહેલી ઘટના હશે.

અમે જેમનો બંગલો તુટી ગયો હતો તેવા મહેશભાઇ દેસાઇને ફોન કર્યો હતો અને આખી વિગત જાણી હતી. તેમણે કહ્યુ કે, શરૂઆતમાં કંપની માત્ર રિપેરીંગ કરી આપવાની વાત કરતી હતી, પરંતુ મેં મુંબઇ અને બેંગ્લોરની સ્ટ્રકચરલ એજન્સી પાસે રિપોર્ટ કરાવ્યો હતો અને બીજી તરફ મેટ્રોએ SVNITના તજજ્ઞો પાસે રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ક્રેઇનનું 175 કિલો વજન હતું અને જેને કારણે બીમ અને સ્ટ્રકચરને જે નુકશાન થયું છે તે રિપેર થઇ શકે તેમ નથી. એટલે રણજિત બિલ્ડકોને આખો બંગલો નવો બાંધી આપવા માટે સંમતિ આપી છે. મહેશભાઇએ કહ્યું કે, કેટલો ખર્ચ થશે તે નક્કી નથી, પરંતુ મારા મતે 2.50 કરોડ રૂપિયામાં નવો બંગલો બનશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!