fbpx

પ્રસાદ વિવાદ બાદ પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું- દેશના દરેક મંદિરોમાં આવું હોય શકે છે

Spread the love

છેલ્લાં કેટલાંક દિવસોથી દુનિયામાં પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના લાડુ પ્રસાદમમાં વપરાતા ઘીની ભેળસેળનો મુદ્દો ગાજેલો છે. હવે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ ભેળસેળને ગંભીર ગણાવી છે.

બનારસ હિંદુ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં સામેલ થયા રામનાથ કોવિંદે કહ્યું કે,તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળની વાત પરથી એમ થાય છે કે દેશના દરેક મંદિરોમાં આવું હોય શકે છે. આ વાતની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઇએ. તેમણે કહ્યું કે, હવે કોઇ પણ મંદિરનો પ્રસાદ મળે તો શંકા ઉપજે છે.

તેમણે કહ્યું કે વારાણસીમાં બાબા વિશ્વનાથના મંદિરમાં મારા સહયોગીઓ દર્શન કરવા માટે ગયા હતા અને તેમણે મને પ્રસાદ આપ્યો તો તરત મારા મનમાં શંકા ગઇ કે આ પ્રસાદમાં પણ ભેળસેળ તો નથી ને.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!