fbpx

‘માફી ન માગી તો કરીશ માનહાનિનો કેસ’, કંગનાએ શું કહ્યુ કે ગુસ્સે થયા વિક્રમાદિત્ય

Spread the love

બોલિવુડ એક્ટ્રેસ અને મંડીથી ભાજપના સાંસદ કંગના રણૌતના એક નિવેદન પર રાજકીય હોબાળો મચી ગયો છે. કંગનાએ આરોપ લગાવ્યો છે કે હિમાચલની સરકાર લોન લે છે અને તેને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને આપે છે. આ પ્રકારે તે કોંગ્રેસનો ખોળો ભરી રહી છે. સોનિયા ગાંધીએ રાજ્યના ખજાનાને પોકળ કરી દીધો છે અને હિમાચલની આ દુર્દશા થઈ છે. હિમાચલના બાળકોના ભવિષ્ય પર કુહાડી મારવામાં આવી રહી છે. એ જોઈને ખૂબ દુઃખ થાય છે.

સોનિયા ગાંધી પર સાંસદ કંગના રણૌતની આ ટિપ્પણીને લઈને કોંગ્રેસનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો છે. હિમાચલ પ્રદેશ સરકારમાં લોક નિર્માણ મંત્રી વિક્રમાદિત્ય સિંહે કંગન રણૌત પર પલટવાર કરતા કહ્યું કે, કંપનીના માનસિક દેવાળિયાપણાના શિકાર થઈ ગયા છે અને પાયાવિહોણાં આરોપ લગાવી રહ્યા છે. વિક્રમાદિત્ય સિંહે સોમવારે શિમલામાં કહ્યું કે, જો કંગના રણૌતે સોનિયા ગાંધી પાસે માફી ન માગી તો તેઓ તેમના પર માનહાનિનો દાવો ઠોકી દેશે.

વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે, સેન્સર બોર્ડે કંગના રણૌતની ફિલ્મને બ્લોક કરી દીધી છે એટલે તેઓ હાલના દિવસોમાં પોતાના ઘર મંડી આવ્યા છે અને ઘર પર બેસીને સમજ્યા વિચાર્યા વિના ગમે-તેવી નિવેદનબાજી કરી રહ્યા છે. કંગનાએ પોતાના નિવેદન સાથે જોડાયેલા તથ્ય રજૂ કરવા જોઈએ. જો તેઓ તેની સાથે જોડાયેલા તથ્ય રજૂ કરી શકતા નથી તો તેમણે સોનિયા ગાંધી પાસે માફી માગી લેવી જોઈએ. તો વિક્રમાદિત્ય સિંહે વક્ફ બોર્ડમાં પણ સુધાર કરવાની વાત કહી અને કહ્યું કે, રાજ્યમાં આંતરિક સુરક્ષા બનાવી રાખવી સરકારનું દાયિત્વ છે, પરંતુ રાજ્યમાં જે પ્રકારનો માહોલ છેલ્લા કેટલાક દિવસોથી બન્યો છે એવામાં વક્ફ બોર્ડની સંપતિઓ, જમીનો અને લેવડ-દેવડની જાણકારી લોકો વચ્ચે આવવી જોઈએ.

આ દરમિયાન હિમાચલ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે પણ કંગનાના નિવેદનની નિંદા કરી અને કહ્યું કે, તેઓ તથ્ય વિના નિવેદનબાજી કરી રહ્યા છે. એવું કોઈ કેવી રીતે વિચારી શકે છે કે કેન્દ્ર પાસેથી આવી રહેલી સહાયતા અને રાજ્ય માટે લેવામાં આવેલી રહેલી લોન સોનિયા ગાંધીના ખાતામાં જઇ રહી હોય. એવું નિવેદન તેમની માનસિકતા દર્શાવે છે જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હિમાચલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કૌલ સિંહ ઠાકુરે પણ સાંસદ કંગના પર પ્રહાર કર્યો છે.

તેમણે કહ્યું કે, કંગના એવા પ્રકારની વાતો કરે છે, જેમ કોઈ અભણ પણ કરી શકતું નથી. તેઓ કંગનાની વાતોને ગંભીરતાથી લેતા નથી. ચૂંટણી અગાઉ અને ચૂંટણી બાદ કંગનાએ વિસ્તારની જનતાને વાયદા કર્યા હતા, તેને પૂરા કરવો જોઈએ. કંગના તો ગુમ છે. તેઓ માત્ર એક જ વખત પોતાના વિસ્તારની જનતાને મળ્યા છે. ત્યારબાદ તેમનો કોઈ પત્તો નથી. હિમાચલ પ્રદેશમાં વીરભદ્ર સિંહના નેતૃત્વવાળી તત્કાલીન કોંગ્રેસ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહેલા કૌલ સિંહ ઠાકુરે કહ્યું કે, આફતના સમયે કંગના નજરે ન પડ્યા.

તેમણે અહી માત્ર એક વિઝિટ કરી. આ દરમિયાન હિમાચલ પ્રદેશ સરકાર આફતના પ્રભાવિતો વચ્ચે રહી. કંગના જે પ્રકારની વાતો કરે છે, તેને કોઈ ગંભીરતાથી લેતું નથી. ચૂંટણી અગાઉ તેઓ કહેતા રહ્યા કે દેશને આઝાદી વર્ષ 2014માં મળી છે. ચૂંટણી બાદ તેમણે કહ્યું કે, દેશના પહેલા વડાપ્રધાન સુભાષ ચંદ્ર બોસ હતા. એવામાં તેમની વાતોને ગંભીરતાથી ન લેવી જોઈએ.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!