fbpx

અનામતની 50 ટકા લિમિટ ખતમ કરવાના પક્ષમાં શરદ પવાર, જણાવ્યું કેમ જરૂરી

Spread the love

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્યમાં મરાઠા ક્વોટાના મામલાએ ફરી વેગ પકડ્યો છે. તેના પર લાંબા સમય બાદ NCP SPના નેતા શરદ પવારે પોતાનું મૌન તોડ્યું છે. મરાઠા સમુદાયને અનામત મળવું જોઈએ અને હું તેમાં કંઇ ખોટું માનતો નથી. તેની સાથે જ તેમણે કહ્યું કે, મરાઠા અનામત માટે અન્ય સમુદાયને નુકસાન ન થવું જોઈએ. આ ક્વોટા અલગથી હોવા જોઈએ. તેની સાથે જ એવું ત્યારે જ સંભવ થઈ શકે છે, જ્યારે અનામતની 50 ટકા લિમિટને ખતમ કરવામાં આવે. તેના માટે કાયદાને બદલવો પડશે.

શરદ પવારે કહ્યું કે, દરેકની એ ભાવના છે કે અનામત આપવું જોઈએ. તેમાં કંઇ ખોટું નથી, પરંતુ એમ કરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે એ લોકોના અધિકારો પર અસર ન થાય, જેમને હાલમાં અનામતનો લાભ મળી રહ્યો છે. તેમને કોઈ પ્રકારનું નુકસાન ન થવું જોઈએ. હવે તેને (અનામત) 50 ટકાથી વધારે કરવું હોય તો કાયદામાં બદલાવ કરવો પડશે. આ પ્રકારે શરદ પવારે પણ એક પ્રકારે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના જ સ્ટેન્ડનું સમર્થન કર્યું છે, જે હેઠળ તેઓ ક્વોટાની 50 ટકા લિમિટને જ ખતમ કરવાની માગ કરી રહ્યા છે.

આ દરમિયાન શરદ પવારે વિધાનસભાની ચૂંટણીને માટે સીટ શેરિંગ પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું સીટ શેરિંગ પર ચર્ચામાં સામેલ નથી થયો. અમારા પક્ષ તરફથી આ કામ જયંત પાટીલ કરી રહ્યા છે. તમારે તેમને પૂછવું જોઈએ. તેની સાથે જ શરદ પવારે કહ્યું કે, લોકસભાની ચૂંટણીની જેમ આ વખત પણ અમારી વચ્ચે કોઈ વિવાદ નહીં થાય. અમારી પૂરી તૈયારી છે કે મળીને ચૂંટણી લડવામાં આવે.

એટલું જ નહીં શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીફ જસ્ટિસને ત્યાં ગણેશ પૂજામાં ગયા હતા તેને કોઈ મુદ્દો માનવાનો ઇનકાર કર્યો. શરદ પવારે વિપક્ષથી અલગ વિચાર વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ બંને જ ઉચ્ચ પદો પર છે. તેઓ પદ પોતાની જાતમાં એક સંસ્થા હોય છે અને દરેકની જવાબદારી છે કે તેમની ગરિમા બનાવી રાખવામાં આવે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!