fbpx

આ ટ્રેનો મોડી પડશે તો હવે મુસાફરોને રિફંડ નહીં મળશે

Spread the love

રેલવે મંત્રાલય દ્રારા બનાવવામાં આવેલી ઇન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (IRCTC) કે જે ટિકીટ બુકીંગ અને ખાનગી ટ્રેનોની તમામ સુવિધાનું સંચાલન કરે છે તેણે એક RTIના જવાબમાં ખુલાસો કર્યો છે કે, 15 ફેબ્રુઆરી 2024થી જ ટ્રેનો મોડી પડવા પર અપાતું રિફંડ બંધ કરી દેવાયું છે. જો કે સરકારી ટ્રેનો મોડી પડશે તો તેમા રિફંડ મળશે, પરંતુ ખાનગી ટ્રેનોમાં રિફંડ બધ કરી દેવાયું છે.

IRCTC 2 ખાનગી ટ્રેનોનું સંચાલન કરે છે બંને ટ્રેનનું નામ તેજસ છે. એક દિલ્હીથી લખનૌ અને એક અમદાવાદથી મુંબઇની. એ સિવાયની બાકીની ટ્રેનો સરકારી ટ્રેનો કહેવાય છે.

IRCTCએ કહ્યું કે, 2019થી ફેબ્રુઆરી 2024 સુધીમાં 26 લાખ રૂપિયાનું રિફંડ ટ્રેન મોડી પડવાને કારણે ચૂકવાયું હતું.

error: Content is protected !!