fbpx

AI વિચારવાની શક્તિ જ નહીં મગજના કદને પણ ઘટાડી શકે છે; વૈજ્ઞાનિકોની ચેતવણી!

Spread the love

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આજની તારીખમાં સૌથી વધુ ચર્ચાતું નામ છે. જેને પણ જુઓ તે AIના ફાયદા અને ગેરફાયદા સમજાવવામાં વ્યસ્ત છે. AIના સરળ અને અને મુખ્ય પ્રવાહમાં હોવાથી ઘણા લોકોનું જીવન સરળ બનાવ્યું છે, ત્યારે કેટલાક લોકોને લાગે છે કે તેનું ભવિષ્ય જોખમમાં છે. ઘણા વૈજ્ઞાનિકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મનુષ્યો પર સંભવિત અસરો વિશે પણ વિચારી રહ્યા છે. એવા ઘણા અનુમાનો છે કે, જેમાં AIને માનવ અસ્તિત્વ માટે જોખમ તરીકે વર્ણવવામાં આવ્યું છે. જો કે, દરેક આગાહી ડરામણી નથી. ધ ક્વાર્ટરલી રિવ્યુ ઓફ બાયોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં એક ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાનીએ AIની સંભવિત અસરો સમજાવી છે. ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના ઇવોલ્યુશનના પ્રોફેસર રોબ બ્રુક્સના જણાવ્યા અનુસાર, AI માનવના મગજ અને તેના વર્તન પર અસર કરી શકે છે.

કુદરતી પસંદગી એ એક એવી પદ્ધતિ છે, જે પ્રજાતિઓની ઉત્ક્રાંતિ પ્રક્રિયાને પ્રભાવિત કરે છે. બ્રુક્સ માને છે કે, જેમ ભૌતિક અને સામાજિક વાતાવરણ સજીવોની પ્રજનન ક્ષમતામાં તફાવત લાવે છે, તેવી જ રીતે AI માનવ મગજ અને તેના વર્તનને અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે, જેમ વરુઓ લગભગ 30,000 વર્ષ પહેલાં માણસોની આસપાસ રહેલા પાળેલા કૂતરાઓ તરીકે વિકસ્યા હતા, તેમ AI પણ અજાણતાં માનવ વર્તનમાં ફેરફાર કરી શકે છે.

AI અને મનુષ્યો વચ્ચેનો સંબંધ પરસ્પર મદદનો હોઈ શકે છે, જ્યાં બંને એકબીજાને લાભ આપે છે. AIના કારણે, આપણી યાદશક્તિ પરનો ભાર હળવો થઈ શકે છે, જેના કારણે માનવ મગજ નાનું અને અને સુરક્ષિત જન્મ પ્રક્રિયા શક્ય બની શકે છે. પરંતુ આવા સંબંધો પરોપજીવી પણ બની શકે છે. બ્રુક્સે સોશિયલ મીડિયાની શરૂઆતનું ઉદાહરણ આપ્યું, જે ભૂતકાળમાં ઉપયોગી હતું, પરંતુ હવે તે ધ્યાન ભટકાવનારું અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ પર નકારાત્મક અસર કરનારું પરોપજીવી બની ગયું છે. જો AI ધ્યાન આકર્ષિત કરવા અને ગુસ્સો ઉશ્કેરવામાં વધુ કાર્યક્ષમ બની ગયું તો તે માનવ વિકાસને પ્રભાવિત કરી શકે છે.

માનવ વિકાસમાં અન્ય પ્રજાતિઓની સરખામણીમાં માનવ-માનવ વચ્ચેનો સબંધ વધુ મહત્વપૂર્ણ રહ્યો છે. પરંતુ હવે AI આપણા સામાજિક જીવનમાં ઘૂસણખોરી કરી રહ્યું છે. AI વર્ચ્યુઅલ વિશ્વમાં મિત્રતા અને સંબંધોની નકલ કરે છે, જેનાથી લોકો મશીનોને ભાવનાત્મક રીતે હકીકતમાં હોય તે રીતે માનવા લાગ્યા છે. આ પરિસ્થિતિ મનુષ્યોને વધુ સાવધ બનાવી શકે છે અથવા આપણને વધુ એકલા બનાવી શકે છે. તેનાથી માનવ સ્વભાવમાં નોંધપાત્ર ફેરફારો થઇ શકે છે.

error: Content is protected !!