fbpx

મહાકુંભમાં ડૉ.તોગડીયાના શિબિરમાં આનંદીબેન પટેલ જવાના છે, રાજકીય મહત્ત્વ શું છે?

Spread the love

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સ્થાપક અને ચેરમેન ડો. પ્રવિણ તોગડીયા મહાકુંભના સેકટર 15, સંગમ લોઅર ર્ગ પર શિબિરની વ્યવસ્થા માટે રોકાયેલા છે અને 26 ફેબ્રુઆરી 2025ના દિવસે મહાશિવરાત્રીનું સ્નાન કરીને પરત ફરશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા આનંદીબેન પટેલ 23 જાન્યુઆરીએ ડો.તોગડીયાના શિબિરમાં જવાના છે.

આ રાજકીય રીતે એટલા માટે મહત્ત્વ ધરાવે છે, કારણકે છેલ્લાં ઘણા સમયથી ભાજપના નેતાઓ ડો. પ્રવિણ તોગડીયાથી દુર રહેતા હતા, પરંતુ હવે જ્યારે આનંદીબેન જઇ રહ્યા છે તો એનો મતલબ એ થાય છે કે ભાજપના નેતાઓને હવે ડો.તોગડીયા સાથે મુલાકાત કરવામાં વાંધો નથી.

ડો. તોગડીયાએ તાજેતરમાં કહ્યું હતું કે, તેમની પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ સાથે ફરી દોસ્તી થઇ ગઇ છે.

error: Content is protected !!