.jpg?w=1110&ssl=1)
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. ચંદીગઢમાં ઓમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી, પરંતુ ગુરુવારે મેયરની ચૂંટણીમાં ભાજપે એક ઝટકામાં આખી બાજી પલટી નાંખી હતી. 3 કોર્પોરેટરોએ ક્રોસ વોટીંગ કરતા ભાજપના કોર્પોરેટર હરપ્રીત કૌરને ચંદીગઢના મેયર જાહેર કરી દેવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે તેમના કોર્પોરેટર ક્રોસ વોટીંગ ન કરે તેના માટે એક રિસોર્ટમાં રાખ્યા હતા, છતા ક્રોસ વોટીંગ થયું. જો કે કેજરીવાલને મોટું નુકશાન થયું છે, કારણકે ભાજપને મેયર મળ્યા અને બાકીના 2 પદ કોંગ્રેસના ખાતામાં ગયા છે. ભાજપને 19 વોટ મળ્યા જ્યારે AAPના ઉમેદવાર પ્રેમલતાને 17 વોટ મળ્યા હતા. ચંદીગઢ મેયરની ચૂંટણીમા 35 વોટ અને એક વોટ સાસંદનો એમ કુલ 36 વોટ હતા. બહુમતી માટે 19 વોટની જરૂર હતી.
