

યુટ્યુબ શો ‘Indias Got Latent ‘ સંબંધિત વિવાદ વધુ બની રહ્યા છે. મહારાષ્ટ્ર સાયબર સેલ આ કેસની તપાસ કરી રહી છે. શોના તાજેતરના એપિસોડમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની અશ્લીલ ટિપ્પણી બાદ, વિવિધ રાજ્યોમાં ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ સાથે સંકળાયેલા લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે.


ભાગ લેનારાઓ સામે પણ કરવામાં આવશે કાર્યવાહી
સાયબર સેલે કહ્યું છે કે અમે શોના તમામ 18 એપિસોડની તપાસ કરી રહ્યા છીએ. આ 18 એપિસોડમાં જજ તરીકે ભાગ લેનારા લોકોમાં અપશબ્દોનો ઉપયોગ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ શોમાં પ્રેક્ષક તરીકે આવેલા લોકોના નિવેદનો પણ સાક્ષી તરીકે નોંધવામાં આવશે.
અધિકારીઓએ કહ્યું કે શોમાં જેટલા લોકોએ ભાગ લીધો છે, તેમાં જેને પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્ર સાયબર સેલે યુટ્યુબને પત્ર લખીને કહ્યું છે કે આ શોના તમામ એપિસોડ, જેમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેને ડિલીટ કરવામાં આવે.

તમામ 30 મહેમાનોને મોકલ્યા સમન્સ
મહારાષ્ટ્ર સાયબર વિભાગે મંગળવારે ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં શોમાં ભાગ લેનારા લગભગ 30 મહેમાનોને સમન્સ મોકલવામાં આવ્યા છે. સાયબર વિભાગે રણવીર અલ્હાબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણીઓ બાદ સુઓ મોટુ દ્વારા એફઆઈઆર નોંધી છે.
દૂર કરવા પડશે શોના તમામ એપિસોડ
વિભાગે સંબંધિત IT એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને શોના તમામ 18 એપિસોડને દૂર કરવા કહ્યું છે. તપાસ દરમિયાન, સાયબર વિભાગને જાણવા મળ્યું કે શોના મહેમાનો અને અન્ય સહભાગીઓએ ‘અશ્લીલ અને અભદ્ર’ ભાષાનો ઉપયોગ કર્યો હતો. આવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં શોના જજ અને ગેસ્ટ પણ સામેલ છે.


