fbpx

400 કરોડના એક ડાયમંડની હરાજી થવાની છે, એવું શું છે આમાં ખાસ

Spread the love
400 કરોડના એક ડાયમંડની હરાજી થવાની છે, એવું શું છે આમાં ખાસ

એક સમયે ઇંદોર અને વડોદરાના રાજ ઘરાનામાં જોવા મળતો 24 કેરેટનો ધ ગોલકોન્ડા બ્લુ ડાયમંડની 14 મે 2025ના દિવસે હરાજી થવાની છે અને આ ડાયમંડ 400 કરોડ રૂપિયામાં વેચાવવાની ધારણા રાખવામાં આવી છે.

નાસપતિ આકારનો આ ડાયમંડ ભારતની રાજા શાહી સાથે જોડાયેલો છે. આ ડાયમંડ ઇંદોરના મહારાજા ચશવંત હોલ્કર પાસે હતો જે 1947માં કિંગ ઓફ ડાયમંડ તરીકે ઓળખાતા હેરિ વિંટસેન ખરીદ્યો હતો અને એ પછી વડોદરાના મહારાજા પાસે આવ્યો હતો. વડોદરાના મહારાજાએ હેરી પાસેથી બ્લુ ડાયમંડ ખરીદ્યો હતો. વડોદરાના મહારાજાએ પાછો એ ડાયમંડ હેરીને વેચી દીધો હતો. હેરી વિંટસને ડિઝાઇન બદલીને બે વખત અન્ય વ્યક્તિને આ ડાયમંડ વેચ્યો હતો. ધ ગોલકાન્ડા બ્લુ એ એક દુર્લભ ડાયમંડ છે.

error: Content is protected !!