

કશ્મીરમાં જે ઘટના બની છે તેને કારણે આખો દેશ હચમચી ગયો છે. પહેલગામમાં બનેલી ઘટનાએ કશ્મીરની સાંસ્કૃતિક વિરાસત અને લાખો કશ્મીરીઓની રોજીરોટી પર કારમા ઘા સમાન છે. કશ્મીર આખુ ટુરીઝમ પર જ નભે છે.
કશ્મીરની ટુરીઝમ ઇન્ડસ્ટ્રી 12000 કરોડ રૂપિયાની છે અને કશ્મીરના અર્થતંત્રમાં ટુરીઝમનો મોટો ફાળો છે. 2030 સુધીમાં કશ્મીરનો ટુરીઝમ ઉદ્યોગ 30,000 કરોડ પર પહોંચવાની ધારણા છે, પરંતુ હમણા હવે બ્રેક લાગી જશે. લોકો ધડાધડ હોટલ, ફલાઇટ બુકીંગો કેન્સલ કરાવી રહ્યા છે. કશ્મીરમાં લગભગ 2.5 લાખ લોકો ટુરીઝમ સાથે જોડાયેલા છે.
વર્ષ 2024માં 25 લાખ લોકો કશ્મીરના પ્રવાસે ગયા હતા અને આ વર્ષના 3 મહિનામાં જ 6 લાખ લોકો ધરતી પરના ર્સ્વગને નિહાળવા ગયા હતા.