fbpx

ભારતે પહેલીવાર ઉપયોગ કરેલું ‘સુદર્શન ચક્ર’ સુરતથી પૂણે સુધી પ્રહાર કરી શકે છે

Spread the love
ભારતે પહેલીવાર ઉપયોગ કરેલું 'સુદર્શન ચક્ર' સુરતથી પૂણે સુધી પ્રહાર કરી શકે છે

પાકિસ્તાને ગુરુવારે ભારતના 15 શહેરોના સૈન્ય સ્થળો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો. ભારતે પહેલીવાર S-400 મિસાઇલનો ઉપયોગ કર્યો જેને સુદર્શન ચક્ર નામ આપવામાં આવ્યું છે.સુદર્શન ચક્રને તેજ, સટીક અને શક્તિશાળી માનવામાં આવે છે.

S-400 મિસાઇલને રશિયાની અલ્માઝ અંટે કંપનીએ બનાવી છે. આ એક અત્યાધુનિક મિસાઇલ છે જે હવામાં જોખમને ઓળખી શકે છે. આ મિસાઇલ એવી છે કે 400 કિ.મી દુર ટાર્ગેટને ખતમ કરી શકે છે. મતલબ કે સુરતમાં આ મિસાઇલ હોય તો મહારાષ્ટ્રના પુણેમાં ટાર્ગેટને ભોંગભેગો કરી શકે છે. આ મિસાઇલ એક સમયે 80 ટાર્ગેટને ઓળખી શકે અને એક જ સમયે 36 ટાર્ગેટ પર હુમલો કરી શકે તેટલી ક્ષમતા ધરાવે છે.

2018માં ભારતે રશિયા સાથે ડીલ કરી હતી.

error: Content is protected !!