
-copy25.jpg?w=1110&ssl=1)
પાકિસ્તાને ગુરુવારે ભારતના 15 શહેરોના સૈન્ય સ્થળો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો. ભારતે પહેલીવાર S-400 મિસાઇલનો ઉપયોગ કર્યો જેને સુદર્શન ચક્ર નામ આપવામાં આવ્યું છે.સુદર્શન ચક્રને તેજ, સટીક અને શક્તિશાળી માનવામાં આવે છે.
S-400 મિસાઇલને રશિયાની અલ્માઝ અંટે કંપનીએ બનાવી છે. આ એક અત્યાધુનિક મિસાઇલ છે જે હવામાં જોખમને ઓળખી શકે છે. આ મિસાઇલ એવી છે કે 400 કિ.મી દુર ટાર્ગેટને ખતમ કરી શકે છે. મતલબ કે સુરતમાં આ મિસાઇલ હોય તો મહારાષ્ટ્રના પુણેમાં ટાર્ગેટને ભોંગભેગો કરી શકે છે. આ મિસાઇલ એક સમયે 80 ટાર્ગેટને ઓળખી શકે અને એક જ સમયે 36 ટાર્ગેટ પર હુમલો કરી શકે તેટલી ક્ષમતા ધરાવે છે.
2018માં ભારતે રશિયા સાથે ડીલ કરી હતી.