fbpx

પંજાબ અને DCની રદ થયેલી મેચ ફરી રમાશે કે બંને ટીમોને 1-1 પોઇન્ટ આપી દેવાશે?

Spread the love
પંજાબ અને DCની રદ થયેલી મેચ ફરી રમાશે કે બંને ટીમોને 1-1 પોઇન્ટ આપી દેવાશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે BCCIએ 8 મેના દિવસે ધર્માશાળામાં રમાયેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચ અડધેથી રદ કરી દીધી હતી. ઓપરેશન સિંદુર પછી યુદ્ધ વિરામને પગલે IPLની તારીખો ફરી જાહેર કરવામાં આવી છે.

17 મેથી IPL શરૂ થશે અને 3 જૂને ફાઇનલ મેચ રમાશે.

લોકોના મનમા સવાલ છે કે 8 મેની પંજાબ અને દિલ્હીની રદ થયેલી મેચનું શું થશે? શું ફરી રમાડાશે કે બંને ટીમને એક એક પોઇન્ટ આપી દેવાશે?

BCCIએ કહ્યું છે કે, પંજાબ અને દિલ્હીની મેચ ફરીથી રમાશે અને 24 મે 2025ના દિવસે જયપુરમાં આ મેચ આયોજિત કરવામાં આવી છે. 8મેના દિવસે પંજાબે 10.1 ઓવરમાં 1 વિકેટના નુકશાને 122 રન માર્યા હતા. પરંતુ હવે નવેસરથી મેચ રમાડાશે.

error: Content is protected !!