fbpx

શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?

Spread the love
શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ, જે અગાઉ મંડલ રાજનીતિનો વિરોધ કરતુ હતું તેણે હવે આ મુદ્દાને લઇને નવી રણનીતિ અપનાવી છે. સવાલ એ ઉભો થયો છે કે શું ભાજપના આ દાવથી દેશમાં ફરી એક વખત મંડલ પોલિટિક્સ શરૂ થશે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં વસ્તી ગણતરીની સાથે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની જાહેરાત કરી હતી અને વિપક્ષોએ આ નિર્ણયને વધાવ્યો હતો. જાણકારોનું કહેવું છે કે, હવે વિપક્ષો આ મુદ્દાને વધારે જોરથી ઉપાડશે અને ખાસ કરીને અનામતમાં 50 ટકાની જે કેપ છે તે હટાવવાની માંગ કરશે. ઉપરાંત ખાનગી કંપનીઓમા પણ અનામત લાવવાનો મુદો ઉપાડશે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ આ વિશે અભિયાન છેડી શકે છે.

error: Content is protected !!