
-copy35.jpg?w=1110&ssl=1)
દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના જવાબ આપવા પડશે.
12 એપ્રિલ 2025ના દિવસે સુપ્રીમ કોર્ટના જજ જે બી. પારડીવાલના અધ્યક્ષતા વાળી બેંચે રાષ્ટ્રપતિને સુચન કર્યુ હતું કે, જે રાજ્યોના વિધાનસભામાં પસાર થયેલા બિલને મંજૂરી આપવા માટે 3 મહિનાનો સમયગાળો નક્કી કરવો જોઇએ. આ બાબતે ભારે હોબાળો ઉભો થયો હતો.
હવે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટનો મત માંગ્યો છે કે શું સુપ્રીમ કોર્ટ વિધાનસભામાં પસાર થયેલા બિલો પર મંજૂરી માટે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે. રાષ્ટ્રપતિએ એક બંધારણ બેંચની રચના કરવા અને 5 જજોની કમિટી બનાવવા માટે પણ CJIને કહ્યું છે.