fbpx

ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું

Spread the love
ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી- ગલ્લા, ઘર, ઝુપડાનું દબાણ હટાવી દેવાતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે કે, 15 દિવસની અંદર તોડેલા ઘરો ફરી બાંધીને આપો નહીં તો 31 ઓકટોબર 2025નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું.

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્ટેચ્યુઓફ યુનિટી પાસે થયેલા ડિમોલિશનનો વિરોધ કર્યો છે. ઘટના સ્થળે દોડી આવેલા વસાવાએ કહ્યુ હતું કે, અમારા લોકોને ડંડાથી મારવામાં આવે છે. જો તેમના તોડેલા ઘરો પાછા બાંધી નહીં આપવામાં આવશે તો નર્મદા ડેમ બંધ કરાવી દઇશું.સ્ટેચ્યુ ઓફ યુનિટીના બસો, રીક્ષા, હોટલો બધું બંધ કરાવી દઇશું અને હજારો લોકો સાથે રસ્તા પર ઉતરીશું.

error: Content is protected !!