

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી’ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર છે કે ફિલ્મમાં ‘બાબુ રાવ’નું પાત્ર ભજવનારા એક્ટર પરેશ રાવલે ફિલ્મમાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે. તેના બહાર થવાનું કારણ મેકર્સ સાથે ક્રિએટિવ ડિફ્રેસેઝ હોવાનું કહેવાય છે. પોતે એક્ટરે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. ન્યૂઝ વેબસાઇટ ‘બોલિવુડ હંગામા’ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘હેરા ફેરી 3’ના મેકર્સ અને પરેશ રાવલ વચ્ચે ક્રિએટિવ ડિફ્રેસેઝ હતા. ત્યારબાદ એક્ટરે ફિલ્મમાંથી નીકળવાનો મુશ્કેલ નિર્ણય લીધો. જ્યારે તેની ટીમે એક્ટર સાથે વાત કરી, ત્યારે એક્ટરે પોતે કહ્યું કે, ‘હા, આ સાચું છે. હું હવે ‘હેરા ફેરી 3’માં કામ નહીં કરું.

પરેશ રાવલનું પાત્ર બાબુ રાવ ફિલ્મનો સૌથી મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યું છે. તેના પાત્રને ફેન્સ તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે. એવામાં, આ સમાચાર ફેન્સ માટે જરૂર દિલ તોડી શકે છે. જોકે, ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોનું માનવું છે કે પરેશ રાવલ ફરી આ ફિલ્મનો હિસ્સો બની શકે છે. તેમનુ કહેવું છે કે આ અગાઉ અક્ષય કુમાર પણ ‘હેરા ફેરી 3’નો ભાગ નહોતો. મેકર્સ સાથે ક્રિએટિવ ડિફ્રેસેઝ કારણે ફિલ્મમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ બાદમાં તે ફરીથી ફિલ્મનો હિસ્સો બન્યો. જ્યારે ‘હેરા ફેરી 3’નું ડિરેક્શન કરનારા પ્રિયદર્શન, જે અગાઉ તેને બનાવવાનો ઇનકાર કરી રહ્યા હતા. એવામાં તેમને વિશ્વાસ છે કે પરેશ રાવલ પણ પાછા આવી શકે છે.

થોડા સમય અગાઉ પરેશ રાવલે એક ન્યૂઝ વેબસાઇટને કહ્યું હતું કે, તેના માટે આ ભૂમિકા ‘ગળાનો ફંદો’ છે. આ એક્ટર પોતાના સૌથી લોકપ્રિય પાત્રમાંથી છૂટકારો મેળવવા માગે છે જેના માટે તેણે ઘણા ફિલ્મ મેકર્સ સાથે વાત કરી હતી, પરંતુ તેને આ પાત્રમાંથી મુક્તિ મળી શકી નહોતી. પરંતુ હવે ‘હેરા ફેરી 3’માંથી તેનું બહાર નીકળવું ફેન્સને જરૂર નિરાશ કરશે. તેનું ‘બાબુ રાવ’નું પાત્ર કયો અભિનેતા ભજવશે, એ જોવાનું રસપ્રદ રહેશે. વાત કરીએ ‘હેરા ફેરી 3’ની તો, તેનું શૂટિંગ હજુ શરૂ થયું નથી. જોકે, તેનું મુહૂર્ત શૂટિંગ થઈ ગયું છે. ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શને તેની સ્ક્રિપ્ટ પર કામ કર્યું છે. ફિલ્મમાં અત્યારે, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી પોતાના પાત્રો રાજુ અને શ્યામને ભજવતા નજરે પડશે.