
પૂર્વ પણ સાંસદ હોય તો આવા હોવા જોઈએ
પ્રાંતિજ ના મોયદ ના બે યુવકો ના જીવ બાદ પૂર્વ સાંસદ નો પિતો સાતમા આસમાને
- રેતી માફિયાઓ સામે પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ મેદાન મા
- રેતી માફિયાઓ સામે કડક મા કડક કાર્યવાહી કરવામાગ
- હપ્તાથી બધુ ચાલતુ હોવાનુ પૂર્વ સાંસદ ની રજુઆત
- મુખ્યમંત્રી , ખાન ખનીજ કચેરી , જિલ્લા કલેક્ટર , રેવેન્યૂ કચેરી સહિત સંલગ્ન કચેરીઓ મા લેખિત મા રજુઆત કરશે
-ઓવરલોડ બે રોકટોક રોજની ૨૦૦ ટકો પ્રસાર થાય છે - ખાન ખનીજ કચેરી ઉપર હપ્તા લેતુ હોવાનુ જણાવ્યુ
- ગેર કાયદેસર નદીમા ૨૫ થી ૩૦ નાવડી મુકી રેતીની ચોરી થતી હોવાનુ જણાવ્યુ
- ખાન ખનીજ અધિકારીઓ દ્રારા રેડ માત્ર પાડવા પુરતી પાડવામા આવે છે
- ૭૫ ટકા રેતી ની નદી માંથી ચોરી થઈ ગઈ હોવાનુ જણાવ્યુ
- આજુબાજુ ના ખેતરો ને ખેતી મા મોટુ નુકસાન
- પ્રદુષણ વિભાગ હપ્તા ની લાહ્ય નથી કરતી
- અકસ્માત બાદ ગ્રામજનો ને ભાગી જવાની ધટના બનતી હોય છે
- રાત્ર દિવસ ડમ્પર રોડ ઉપર દોડતા રસ્તાઓ ભંગાર બન્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના પીલુદા-સાંપડ રોડ ઉપર બનેલ અકસ્માત મા બે યુવકો ના જીવ જતા પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ રેતી માફિયાઓ અને ખાન ખનીજ વિભાગ , પોલીસ તંત્ર સહિત સંલગ્ન કચેરીઓ ઉપર રોષ ઠાલવ્યો અને હપ્તા લેતા હોવાનુ જણાવ્યુ હતુ તો હપ્તા ખોરી બંધ કરવા મુખ્યમંત્રી સુધી રજુઆત કરશે અને ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન ની ચીમકી આપી

પ્રાંતિજ ના વાધપુર , પીલુદા સાંપડ સાદોલીયા પાસે આવેલ સાબરમતી નદી માથી વગર પાસ પરમીટે ખોદકામ થયુ હોય અને નદીમા ૨૫ થી ૩૦ નાવડી મુકી નદી માંથી રેતી બે રોકટોક કાઢવામા આવે છે તો આ અંગે પૂર્વ સાંસદ દ્રારા ખાન ખનીજ કચેરી મા રજુઆત કરવા છતાંય જેસેથેની સ્થિત જોવા મળી રહી છે તો સાબરમતી નદી માંથી ૭૫ ટકા રેતી ખાલી થઈ હોવાનુ પૂર્વ સાંસદ દ્રારા જણાવ્યુ હતુ તો રેતી ભરીને જઈ રહેલ ડમ્પરો ખેતીને મોટુ નુકસાન કરે છે જયાજયા ડમ્પર જતા હોય છે ત્યા આજુબાજુ મા ખેતી ઉપર ધૂળ ના ઢગ જમા થઇ જતા ખેતી મા મોટુ નુકસાન થતુ હોય છે તો પ્રદુષણ કચેરી ખાલી હપ્તા ની લાહ્ય મા તપાસ પણ ના કરતા હોવાનુ જણાવ્યુ હતુ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ , જિલ્લા કલેક્ટર કચેરી , ખાન ખનીજ અધિકારી , રેવેન્યૂ કચેરી સહિત સંલગ્ન કચેરીઓ મા લેખિત મા આ અંગે રજુઆત કરશે

તો રોજના આ રોડ ઉપર થી ૨૦૦ થી વધારે રેતી ભરેલ ડમ્પર અવરજવર કરે છે અને ખાન ખનીજ તંત્ર પણ હપ્તા લેતુ હોવાનુ જણાવ્યુ હતુ અને ખાલી નાટકયમત રેડ પાડતા હોવાનુ જણાયુ હતુ તો રેતી ભરેલ ડમ્પર ની અવરજવર થી રેતી માંથી પાણી ટપકતા રસ્તાઓ ટુટી જતા હોવાનુ જણાવ્યુ હતુ તો આવી કોઇ અકસ્માત ની ધટના બનતા બાદમા ગ્રામજનો ને ભાગી જવાની ધટના બનતી હોય છે તો આગામી સમય મા પગલા નહી ભરવામા નહી આવેતો આની સંપુણ જવાબદારી સરકાર ની રહેશે તેવુ પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ દ્રારા જણાવ્યુ હતુ અને પોલીસ ,ખાન ખનીજ કચેરી સહિત ની કચેરીઓ ઉપર હપ્તા લેતા હોવાનુ જણાવ્યુ હતુ તો આગામી દિવસોમા કાર્યવાહી નહી થાયતો તેમની આગેવાની હેઠળ ગાંધી ચિધ્યા માગે આંદોલન ની ચિમકી ઉચ્ચારી છે