

ભારતના ફેમસ શિક્ષક ખાન સરે લગ્ન કરી લીધા છે અને તે પણ ખૂબ જ ચૂપચાપ રીતે. જેની કોઈને ભનક પણ ન લાગી. તેમણે પોતાના લગ્નની જાણકારી પોતે જ આપી હતી. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે. હવે સવાલ એ છે કે તેમણે કરિયાવરમાં શું-શું લીધું. કોઈ વિદ્યાર્થીએ પૂછી લીધું- સર, કરિયાવરમાં શું મળ્યું? તો ખાન સરે તેનો જવાબ અનોખા અંદાજમાં આપ્યો. તો, એક વિદ્યાર્થીએ હસતા પૂછ્યું, સર, લવ મેરેજ કે અરેન્જ મેરેજ?’ ખાન સરે જવાબ આપ્યો, ‘હું તમને લવ મેરેજ કરનારો લાગૂ છું? જે કોઈ મારો ચહેરો જોશે, તે સીધું મારી માતા સાથે વાત કરશે! અને પછી ક્લાસમાં હાસ્ય ગુંજી ઉઠ્યું.

ખાન સરે ક્લાસમાં વિદ્યાર્થીઓને જણાવ્યું તેમણે કરિયાવરમાં 5 વસ્તુઓ લીધી છે. તેમણે માટીની સુરાહી, માટીનો ઘડો, દેહાતીવાળો લાકડાનો પંખો, કુરાન શરીફ અને પ્રાર્થના માટે સાદડી લીધી. કરિયાવરમાં આટલું જ લીધું. પ્રાચીન સમયમાં આ પરંપરા હતી અને આ જ લીધું. તેમણે કહ્યું કે અમે કરિયાવરની વિરુદ્ધ રહીએ છીએ. જો કોઈ મારી સામે કરિયાવરની કરી દે તો હું પોતે તેનો વિરોધ કરું છું.
બિહારના ખાન સરે ચૂપચાપ લગ્ન કરી લીધા છે. સૌથી પહેલા પોતાના વિદ્યાર્થીઓને ખુશખબર આપી. ત્યારબાદ, લોકો ખાન સરને અભિનંદન આપી રહ્યા છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. તેમણે પોતાના વિદ્યાર્થીઓને જણાવ્યું કે, ‘આ યુદ્ધ દરમિયાન, અમે પણ લગ્ન પણ કરી લીધા. હવે તમારા લોકો માટે અમે ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ.’

ખાન સરે વિદ્યાર્થીઓને કહ્યું કે, આ વાત સૌથી પહેલા અમે તમને બતાવી છે કેમ કે અમારું વજૂદ તમારા લોકોના કારણે છે. તેમણે કહ્યું કે તેઓ 6 જૂનની આસપાસ ભોજન કરાવશે. આ સાથે, ખાન સરની રિસેપ્શન પાર્ટીનું એક કાર્ડ પણ સામે આવ્યું છે, જેમાં તેમની પત્નીનું નામ એ. એસ. ખાન લખેલું છે. આ મુજબ, પટનાના દાનાપુરના એક બેન્ક્વેટ હોલમાં 2 જૂને એક મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું છે.