fbpx

ઉલટી કરતી વખતે ચાલુ ટ્રેનમાંથી પડી મહિલા, પતિ ચેન ખેંચી કૂદ્યો, હાથમાં ઉંચકીને 1 km ચાલ્યો

Spread the love
ઉલટી કરતી વખતે ચાલુ ટ્રેનમાંથી પડી મહિલા, પતિ ચેન ખેંચી કૂદ્યો, હાથમાં ઉંચકીને 1 km ચાલ્યો

ગઈકાલે રાત્રે શિવપુરીમાં રતૌર રોડ રેલ્વે ટ્રેક પાસે એક નવપરિણીત મહિલા ચાલતી ટ્રેનમાંથી પડી ગઈ. પતિને ઘટનાની જાણ થતાં જ તેણે ચેન ખેંચીને ટ્રેન રોકી અને લગભગ એક કિલોમીટર પાછળ ગયો પરંતુ તેને તેની પત્ની મૃત હાલતમાં મળી. ત્યાર પછી, તે કોઈક રીતે તેની પત્નીને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

હકીકતમાં, ગ્વાલિયર નિવાસી વકીલ વિકાસ જોશીના લગ્ન 16 એપ્રિલ 2025ના રોજ ઓરાઈ (જાલૌન)ની શિવાની શર્મા સાથે થયા હતા. શિવાની LLBની વિદ્યાર્થીની હતી અને તાજેતરમાં તે તેના પતિ સાથે પરીક્ષા આપવા માટે ઓરાઈ ગઈ હતી. પરીક્ષા પછી, બંને મંગળવાર, 27 મે ના રોજ ગ્વાલિયર પાછા ફર્યા અને બુધવારે સાંજે ટ્રેન દ્વારા ઇન્દોર જવા રવાના થયા. વિકાસ ઇન્દોરમાં વકીલ તરીકે કાર્યરત છે અને ત્યાં જ રહે છે.

મંગળવારે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ, જ્યારે બંને ટ્રેન દ્વારા ઇન્દોર જઈ રહ્યા હતા, ત્યારે શિવપુરી રેલ્વે સ્ટેશનથી થોડે દૂર શિવાનીને ઉલટી થવા લાગી. તે કોચના દરવાજા પાસે પહોંચી. આ દરમિયાન વિકાસ પાણી લેવા ગયો હતો. જ્યારે તે દરવાજા પાસે પાછો આવ્યો, ત્યારે નજીકમાં ઉભેલા એક યુવકે કહ્યું કે, મહિલાનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગઈ. આ સાંભળીને વિકાસે ટ્રેનની ચેઇન ખેંચી અને તરત જ નીચે કૂદી પડ્યો.

Newly Married

વિકાસે પોલીસને જણાવ્યું કે ટ્રેન લગભગ એક કિલોમીટર આગળ નીકળી ગઈ હતી. તેણે અંધારામાં તેની પત્નીને શોધી અને તેને રતોર ક્રોસિંગ પાસેના રોડ પર લાવ્યો. ત્યાં એક કાર સવારે મદદ કરી અને બંનેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયો. ડોક્ટરોએ શિવાનીને મૃત જાહેર કરી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

વિકસે જણાવ્યું કે, ઘટનાની જાણ થયા પછી પણ GRPએ તેની મદદ કરી નહીં. તે અંધારામાં ટોર્ચના પ્રકાશમાં તેની પત્નીને શોધતો રહ્યો. તેની પત્નીને મળ્યા પછી, તેણે તેને અડધો કિલોમીટરના અંતર સુધી બંને હાથમાં ઉંચકીને લઈ જવી પડી હતી. ત્યાર પછી GRP કર્મચારીઓ આવ્યા અને નિયમો અને કાયદાઓ વિશે વાત કરી અને તેને કાગળો પર સહી કરવા કહ્યું, જ્યારે તે સમયે તેની પત્નીને સારવારની ખુબ જરૂર હતી. ખૂબ જ મુશ્કેલીથી, એક કાર ચાલક મળ્યો, ત્યાર પછી તે હોસ્પિટલ પહોંચવામાં સફળ રહ્યો.

પોલીસ સ્ટેશનના SI સુમિત શર્માએ જણાવ્યું કે, મહિલાનું મૃત્યુ ટ્રેનમાંથી પડી જવાથી થયું હતું. વિકાસ જોશી પોલીસ સ્ટેશનમાં આવ્યા અને જણાવ્યું કે, તે તેની પત્ની સાથે ગ્વાલિયરથી ઇન્દોર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. તેની પત્નીએ અચાનક ઉબકા અને ઉલટીની ફરિયાદ કરી, ત્યારપછી તે ટ્રેનના દરવાજા પાસે ગઈ. વિકાસ તે સમયે પાણી લેવા માટે ટ્રેનની અંદર ગયો હતો. ત્યાર પછી તેને ખબર પડી કે તેની પત્ની પડી ગઈ છે. રાતૌર નજીક બનેલી આ ઘટના સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

error: Content is protected !!