
પ્રાંતિજ ના ચંચળબાનગર ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- ભારતીય માનક બ્યુરો અમદાવાદ અને ગ્રાહકહિત સુરક્ષા મંડળ ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
- અમદાવાદ ના સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસર ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂ પાડયું
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ચંચળબાનગર ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચંચળબાનગર ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા







પ્રાંતિજ ના ચંચળબાનગર ખાતે ભારતીય માનક બ્યુરો અમદાવાદ ના સહયોગથી અને ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ ના ઉપક્મે કાર્યક્રમ યોજાયો હતો જેમાં માનક બ્યુરો અમદાવાદ ના સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસર અમિતસિંધ તથા હેતલબેન હાજર રહીને હોલમાર્ક અને ISI માર્કો શું છે તે માર્કાવાળીજ વસ્તુઓ શા માટે ખરીદવી તથા હોલમાર્ક એ ગુણવતાનુ પ્રતિક છે સોનાના ઘરેણા હોય હોલ માકીંગ વાળા જ ખરીદવા જોઇએ અને સોનાની સાચી પરખ સહિત નુ વિષેનું વિસ્તુત માર્ગદર્શન પુરૂ પાડયું હતું તો આ પ્રસંગે નગરપાલિકાના કોર્પોરેટર ગોવિદસિંહ પરમાર તથા ભીખુસિંહ મકવાણા , સારંગાબેન રાઠોડ ગામજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો ગ્રાહક હિત સુરક્ષા મંડળ ની કામગીરી વિશે અને ગ્રાહક સુરક્ષા કાયદા ની વિસ્તૃત માહિતી પ્રમુખ નટુભાઈ બારોટ દ્વારા આપવામાં આવી હતી તો સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સંજય સિંહ મકવાણા તથા રાકેશ સિંહ મકવાણા દ્રારા કરવામા આવ્યુ હતુ