

આર્ટ ઓફ લિવીંગના ફાઉન્ડર શ્રી શ્રી રવિશંકરે થોડા દિવસ પહેલા દાવો કર્યો હતો કે, તમની પાસે 1 હજાર વર્ષ પહેલા મહમૂદ ગઝનવીએ તોડેલા સોમનાથ જ્યોર્તીલીંગના 4 અંશ તેમની પાસે છે અને સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરમાં આ અંશોની ફરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
આ નિવેદનને કારણે સાધુ સંતો ભડકી ગયા છે. શ્રી શ્રી રવિશંકરનો દાવો છે કે તેમને આ 4 ટુકડા તાજેતરમાં મહાકુંભમાં અગ્નિહોત્રી બ્રાહ્મણ દ્રારા આપવામાં આવ્યા હતા અને આ સોમનાથમાં પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ પ્રધાનમંત્રી મોદી જાહેર કરશે.
સાધુ સંતોએ કહ્યું કે, સોમનાથ મંદિરમાં ફરી પ્રાણ પ્રતિષ્ઠા કરવી શક્ય નથી. સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી. કે. લહેરીએ કહ્યું કે, શ્રી શ્રી રવિશંકર પાસે જે અંશો છે તે મુળ શિવલીંગના જ છે એનો કોઇ આધાર નથી.