fbpx

સુરતના કતારગામમાં 66 હજાર મતે વિધાનસભા હારેલા ગોપાલ ઇટાલિયાનો વિસાવદરમાં ગજ વાગશે?

Spread the love
સુરતના કતારગામમાં 66 હજાર મતે વિધાનસભા હારેલા ગોપાલ ઇટાલિયાનો વિસાવદરમાં ગજ વાગશે?

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પર 19 જૂને મતદાન અને 23 જૂને પરિણામની ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે, પરંતુ આમ આદમી પાર્ટીએ તો એ પહેલાં જ વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા હતા. હવે સવાલ એ છે કે કતારગામ વિધાનસભાની બેઠક પર ચૂંટણી હારેલા ગોપાલ ઇટાલિયાનો વિસાવદરમાં ગજ વાગશે?

કતારગામ વિધાનસભામાં ભાજપના વિનુ મોરડીયાને 120505 મત મળેલા અને ગોપાલને 55878 મત મળેલા અને 66629 મતથી ઇટાલિયાની હાર થઇ હતી. કતારગામ બેઠક પર પાટીદાર અને પ્રજાપતિ મતદારોનું વર્ચસ્વ છે.

વિસાવદરમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં AAPના ભૂપત ભાયાણીને 66210 મત મળેલા અને તેમની જીત થઇ હતી. એ પછી તેમણે રાજીનામું આપતા આ બેઠક ખાલી થયેલી.

ગોપાલ ઇટાલિયાએ આમ તો ઘણા સમયથી વિસાવદર પર મહેનત શરૂ કરી છે, પરંતુ કોંગ્રેસ અને ભાજપ બંને આ વખતે આમ આદમી પાર્ટીને પછડાટ આપવા પર ફોકસ કરી રહ્યા છે એટલે ઇટાલિયાને થોડી મુશ્કેલી આવી શકે છે.

error: Content is protected !!