fbpx

જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?

Spread the love
  જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?

સૌરાષ્ટ્રનું પાટીદાર રાજકારણ હમેંશા પ્રભાવશાળી રહ્યું છે. હમણા છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયા પર જિગીશા પટેલ અને બન્ની ગજેરાની કથિત વાતચીતના વાયરલ થયેલા ઓડિયોએ સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલને બદનામ કરવાની ચર્ચા આ કથિત ઓડિયોમાં થઇ રહી છે. નરેશ પટેલને બ્લેકમેલ કરવાનો કારસો ઘડવામાં આવી રહ્યો છે. આ વિશે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, આ નિંદનીય ઘટના છે અને નરેશ પટેલને બદનામ કરવાનો હીન પ્રયાસ છે. જિગીશા પટેલે નિવેદન આપ્યું છે કે, આ AI દ્વારા બનાવવામાં આવેલો વીડિયો છે. લુણાગરીયાએ કહ્યું કે, તો જિગીશા પટેલે જાતે તપાસ કરવી જોઇએ કે આ ઓડિયો કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો અને કયા કારણોથી વાયરલ થયો?

error: Content is protected !!