fbpx

વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમે… જાણો હાઈ કોર્ટની રાહુલ ગાંધીને શા માટે ઠપકો આપ્યો

Spread the love
વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમે... જાણો હાઈ કોર્ટની રાહુલ ગાંધીને શા માટે ઠપકો આપ્યો

સેના પર કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાઈકોર્ટની લખનઉ બેન્ચે આ મામલે રાહુલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી. આ દરમિયાન, અલ્હાબાદ હાઈકોર્ટે ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સૈનિકો વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી બદલ રાહુલ ગાંધીને પણ ઠપકો આપ્યો હતો. રાહુલ ગાંધીએ લખનઉ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સ સામે આ અરજી દાખલ કરી હતી.

Allahabad High Court

કોર્ટે કહ્યું, ‘એમાં કોઈ શંકા નથી કે બંધારણની કલમ 19(1)(a) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની ગેરંટી આપે છે, પરંતુ ભારતીય સેના માટે અપમાનજનક ટિપ્પણી કરવાની નહીં.’ કોર્ટે વધુમાં કહ્યું, ‘આ સ્વતંત્રતા વાજબી પ્રતિબંધોને આધીન છે અને તેમાં ભારતીય સેના માટે અપમાનજનક નિવેદનો કરવાની સ્વતંત્રતા શામેલ નથી.’

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 2022માં રાજસ્થાનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, ચીની સૈનિકો ‘અરુણાચલ પ્રદેશમાં ભારતીય સૈનિકોને માર મારી રહ્યા છે. રાહુલ ગાંધીની આ ટિપ્પણી સામે માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ આ કેસ સામે આ અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.

Allahabad High Court

રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા દરમિયાન કહ્યું હતું કે, ‘લોકો ભારત જોડો યાત્રા, અશોક ગેહલોત અને સચિન પાયલોટ વગેરે વિશે પૂછશે. પરંતુ તેઓ ચીન દ્વારા 2000 ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશ પર કબજો કરવા, 20 ભારતીય સૈનિકોને મારવા અને અરુણાચલ પ્રદેશમાં આપણા સૈનિકોને માર મારવા વિશે એક પણ પ્રશ્ન પૂછશે નહીં. પરંતુ ભારતીય પ્રેસ તેમને આ વિશે કોઈ પ્રશ્ન પૂછતું નથી. શું તે સાચું નથી? દેશ આ બધું જોઈ રહ્યો છે. એવો દેખાડો ન કરો કે લોકો કંઈ જાણતા નથી.’

આ નિવેદન બદલ ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને નીચલી કોર્ટે તેમને સમન્સ મોકલ્યા હતા. આ પછી, તેમણે કાર્યવાહી અને સમન્સ રદ કરવાની માંગ કરતી અરજી અલ્હાબાદ હાઇકોર્ટમાં દાખલ કરી હતી.

Rahul Gandhi

અહીં તમને જણાવી દઈએ કે, લખનઉની એક કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં, ફરિયાદી ઉદય શંકર શ્રીવાસ્તવે આરોપ લગાવ્યો હતો કે, ડિસેમ્બર 2022માં ભારત જોડો યાત્રા દરમિયાન, રાહુલ ગાંધીએ ચીની સૈનિકો સાથેના સંઘર્ષના સંદર્ભમાં ભારતીય સેના માટે અનેક અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. ત્યારપછી કોર્ટે કોંગ્રેસના નેતાને સમન્સ પાઠવ્યું હતું.

error: Content is protected !!