
-copy4.jpg?w=1110&ssl=1)
કાશ્મીરની ખીણમાં ચિનાબ નદી પર બનેલો રેલવે બ્રિજ દુનિયાના સૌથી ઉંચો બ્રિજ છે, જેનું 6 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું. આ બ્રિજ વિશે તમને જણાવીશું.
ચિનાબ નદી પર બનલો રેલવે બ્રિજ એ એન્જિનીયરીંગનો બેમિસાલ નમૂનો છે અને પેરિસના એફિલ ટાવર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ ઘણો ઉંચો છે.ચિનાબ નદીની સપાટીખી 359 મીટર ઉંચો આ રેલવે બ્રિજ બન્યો છે. પેરિસના એફિલ ટાવરની ઉંચાઇ 330 મીટર છે, મતલબ કે એફિલ ટાવર કરતા આ બ્રિજ 29 મીટર વધારે ઉંચો છે.
1486 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજમાં 25,000 મેટ્રીક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. 40 કિલો વિસ્ફોટકોનો સામનો કરવાની ક્ષમતા છે.7 જૂનથી કટરા-શ્રીનગરની ટ્રેન પણ શરૂ થઇ રહી છે.