

અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 71 એકરમાં ફેલાયેલું છે. આ મંદિરના નિર્માણમાં કરોડોના કિંમતી પથ્થર, કરોડોનું સોનું-ચાંદી, હીરા અને અન્ય કિંમતી રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ તમને જાણીને એ આશ્ચર્ય થશે કે આ ભવ્ય મંદિરના નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી. ગુરુવારે આ જાણકારી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરમાં રાજા રામ સહિત 8 મૂર્તિઓના અભિષેક બાદ આપી હતી.

રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ મંદિરના તસવીર અને વીડિયો પણ સામે આવ્યા હતા. આ સંપૂર્ણ દર્શન દરમિયાન રામ મંદિર નિર્માણના સૂત્રધાર નૃપેન્દ્ર મિશ્રાએ સમગ્ર નિર્માણ કાર્યની સુક્ષ્મતા બાબતે પણ જણાવ્યું. હતું નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, અહીં 7 મંદિરો છે. તેને સપ્ત મંડપ કહેવામાં આવે છે. શરૂઆતમાં જ્યારે નિર્માણ કાર્યની કલ્પના કરવામાં આવી રહી હતી, તો ખૂબ જ નાના આકારમાં મંદિરની કલ્પના કરવામાં આવી હતી. તે સમયે એવો કોઈ અંદાજ પણ નહોતો કે સુપ્રીમ કોર્ટ 71 એકર જમીન આપશે અને જનતા મંદિર માટે 100 ટકા યોગદાન આપશે.
મંદિરના નિર્માણના ખર્ચ પર નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, તેમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી. તેમાં બધુ યોગદાન આપણા દેશ અને વિદેશમાં રહેતા દેશવાસીઓએ આપ્યું છે. તેમાં 100 ટકા ભક્તોનું યોગદાન છે. તેનાથી નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. આ અનુમાન નહોતું કે આટલી ધનરાશિ આવશે. નૃપેન્દ્ર મિશ્રાએ એમ પણ કહ્યું કે, દેશ અને વિદેશમાં રહેતા જે આપણા દેશવાસી રહે છે, તેમના દાનથી નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. નૃપેન્દ્ર મિશ્રાએ ભાર આપીને જણાવ્યું કે 100 ટકા નિર્માણ દાનથી થઈ રહ્યું છે. અમને એ અંદાજ નહોતો કે દાનમાં આટલી બધી ધનરાશિ આવશે. જ્યારે ધનરાશિ આવવા લાગી, તો મહત્ત્વાકાંક્ષા વધવા લાગી. જેમ-જેમ મહત્ત્વાકાંક્ષા વધી તો આ 5 મંડપ બન્યા, મહત્ત્વાકાંક્ષા સાથે પહેલો અને બીજો માળ જોડવામાં આવ્યો. પરકોટાના નિર્માણનો વિચાર તો કોરોના સમાપ્ત થયા બાદ 2023માં આવ્યો.

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે મંદિરના પહેલા માળ પર જેટલા પણ દરવાજા છે, તે બધા સોનાના બનેલા છે. મંદિરના દરવાજા અને કળશને જોડવામાં આવે તો કુલ મળીને 45-50 કિલો સોનાનો ઉપયોગ થયો છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક ખૂબ મોટા બિઝનેસમેન છે, તેમનું નામ દિલીપજી છે. તેમણે સોમનાથ અને કાશીના વિશ્વનાથ મંદિરને પણ સોનું દાન કર્યું હતું. અહીં તેમણે લગભગ 45-50 કિલો સોનું દાન કર્યું છે. ટેક્સથી અલગ કરીને બતાવવામાં આવે તો તેની કિંમત 50 કરોડ રૂપિયા છે.