

ગુજરાતમાં 61 વર્ષ પછી એપ્રિલ મહિનામાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું અને તે વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રેસના ઘોડાની વાત કરી હતી અને કોંગ્રીસી નેતાઓ અને કાર્યકરોમાં જોમ ફુંકી દીધું હતું. તે પછ જુસ્સામાં આવી ગયેલા કોંગ્રેસીઓ નક્કી કર્યુ હતું કે હવે બધા ભેગા મળીને જ કામ કરીશું.
પણ શેઠની શિખામણ ઝાંપા સુધી એ વાત સાબિત થઇ ગઇ છે. રાહુલ ગાંધીના ગયાના 2 મહિના પછી ગુજરાત કોંગ્રેસમાં કમઠાણ શરૂ થઇ ગયું છે. પ્રદેશ પ્રવક્તા અમિત નાયકે સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાને પ્રવક્તાની જવાબદારીમાંથી મૂક્ત કરવામાં આવે તેવી માંગ કરી અને સાથે શહેર પ્રમુખ હિંમતભાઇ પટેલ વિશે ગંભીર આરોપો પણ મુક્યા.જિગ્નેશ મેવાણીએ પણ તાજેતરમાં પક્ષ વિશે બોલવાનું શરૂ કર્યું હતું અ કહ્યું કે, કોંગ્રેસમા ફુટેલી કારતૂસોને બહાર કાઢો.