fbpx

રત્ન કલાકાર આર્થિક પેકેજ: જૂના GRમાં કોઇ ફેરફાર થયો નથી, સત્ય જાણો

Spread the love
રત્ન કલાકાર આર્થિક પેકેજ: જૂના GRમાં કોઇ ફેરફાર થયો નથી, સત્ય જાણો

ગુજરાત સરકારે તાજેતરમાં ડાયમંડ ઉદ્યોગ માટે એક આર્થિક પેકેજની જાહેરાત કરી હતી અને 24 મે 2025ના દિવસે GR બહાર પાડવામાં આવ્યો હતો. કેટલાંક મીડિયામાં એવા અહેવાલો પ્રસિદ્ધ થયા કે સરકારે GRમાં બદલાવ કર્યો છે અને જે લોકો ડાયમંડ ઉદ્યોગ છોડીને અન્ય રોજગારી મેળવે છે તેમને પણ બેરોજગારની વ્યાખ્યામાં ગણવામાં આવશે.

 આ બાબતે સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જોઇન્ટ કમિશ્નર જે.બી. દવેએ કહ્યુ કે, GRમાં કોઇ પણ ફેરફાર કરાયો નથી. 31 માર્ચ 2024 પછી છુટા થયેલા રત્નકલાકાર કોઇ બીજી રોજગારી મેળવતો હોય જેમ કે ફુડની દુકાન શરૂ કરી હોય તો તે બેરોજગાર ગણાશે, પરંતુ જો ડાયમંડ ઉદ્યોગમા જ રોજગારી મેળવતો હોય તો તેને બેરોજગાર ગણવામાં નહીં આવે.

બેરોજગાર રત્નકલાકારોએ સુરત ડાયમંડ એસોસિયેશન, શ્રમ અધિકારી કે રોજગાર અધિકારી પાસેથી રત્નકલાકાર હોવાનું સર્ટિફિકેટ મેળવવું પડશે.

રત્નકલાકારોએ  જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુધી આવવાની જરૂર નથી, જે તે સ્કુલમાં જ ફોર્મ ભરીને આપી દેવાનું રહેશે.સ્કુલ વાળા એ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પહોંચાડશે.

error: Content is protected !!