fbpx

પ્રાંતિજ ના તાજપુર ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર કંપની દ્રારા ખેડૂત સભા નુ આયોજન

Spread the love

પ્રાંતિજ ના તાજપુર ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર કંપની દ્રારા ખેડૂત સભા નુ આયોજન
– પીએમ પ્રણામ યોજના અંતર્ગત ખેડૂત સભા યોજાઇ
– મોટી સંખ્યામા ખેડૂતો ઉપસ્થિત રહ્યા
– રાસાયણિક ખાતર દવાનો ઉપયોગ ધટાડી ઓર્ગેનિક ખાતર દવાનો ઉપયોગ કરવા હાકલ
         


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર ખાતે નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની લિમિટેડ ભરૂચ દ્રારા પીએમ પ્રણામ યોજના અંતર્ગત એક ખેડૂત સભા નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા


  પ્રાંતિજ તાલુકાના તાજપુર ગામે ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર કંપની લિમિટેડ ભરૂચ દ્વારા પીએમ પ્રણામ યોજના અંતર્ગત એક ખેડૂત સભાનું આયોજન કરવામાં આવેલ જેમા સભામાં ઉપસ્થિત ગામના ૧૦૦ જેટલા પ્રગતિશીલ ખેડૂતોને કંપનીના એરિયા મેનેજર  પટલીયા દ્વારા પીએમ પ્રણામ વિશે વિસ્તૃત સમજણ આપી તેમજ રાસાયણિક ખાતર તથા દવાઓના ઉપયોગ ઘટાડી ઓર્ગેનિક ખાતરો તેમજ દવાઓ વાપરવા આગ્રહ કર્યો હતો તેમજ કંપની દ્વારા ઉત્પાદિત સીટી કમ્પોસ્ટ એફ ઓ એમ તેમજ નીમ ઓઇલ નો વિસ્તૃત ઉપયોગ કરવા ભલામણ કરી હતી જયારે કંપનીના જિલ્લા અધિકારી એચ સી દવે દ્વારા રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગ કરવા માટે જમીન પૃથ્થકરણ કરાવવા ખેડૂતોને વિનંતી કરેલ તેમજ માનવ હિત ના કલ્યાણ માટે રાસાયણિક દવાઓના ઉપયોગ ઘટાડી નીમ ઓઇલનો વિસ્તૃત ઉપયોગ કરવા  ઉપસ્થિત સોવ ખેડૂતોને હાકલ કરી હતી અને કંપની દ્વારા ઉત્પાદિત નિમ સાબુ ,શેમ્પૂ , હેર ઓઇલ તેમજ હેન્ડ વોશ નો રોજમ રોજ જીવનમાં દરેક ઘરમાં ઉપયોગ કરવા રજુઆત કરી હતી તો  સાબરકાંઠા બેંકના ડિરેક્ટર દશરથભાઈ પટેલ દ્વારા કંપની દ્વારા આયોજિત ખેડૂત સભા માટે કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો તો સમગ્ર સભાનું સંચાલન પ્રાંતિજ ડેપોના ઇન્ચાર્જ  ડી પી શાહ દ્વારા કરવામાં આવ્યુ હતુ તો સમગ્ર વ્યવસ્થા મંડળીના સેક્રેટરી નલિન ભાઈ પટેલ દ્વારા સુંદર રીતે કરવામાં આવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!