fbpx

પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે થયેલ અકસ્માત મા ઈજાગ્રસ્ત બે યુવકો માંથી એક નુ સારવાર દરમ્યાન મોત

Spread the love


પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે થયેલ અકસ્માત મા ઈજાગ્રસ્ત બે યુવકો માંથી એક નુ સારવાર દરમ્યાન મોત
– ઇકો કાર નું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો
– રોડ ની સાઈડ મા બેઠેલ બંન્ને યુવકો એકટીવા , બાઇક ને અડફેટે લીધુ હતુ
– એકના એક પુત્ર ના મોત ને લઈ ને પરિવાર સંગા સંબંધીઓ ગામજનો મા શોકનુ મોજુ ફળી વળ્યુ
   


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે થયેલ અકસ્માત મા ઈજાગ્રસ્ત થયેલ બે યુવકો માંથી એક યુવક નુ હિંમતનગર ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યુ


   અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે-૪૮ છેલ્લા કેટલાય દિવસ થી અકસ્માતો નો સીલસીલો યથાવત છે અને યમરાજાએ જાણે પ્રાંતિજ પંથક મા ધામા નાખ્યા હોય તેમ એક પછી એક અકસ્માતો સર્જાય છે ત્યારે મંગળવાર ના રોજ પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે અમદાવાદ તરફથી ફુલફાસ્ટ આવતી ઇકો કાર નંબર-GJ09BG5907  નુ ટાયર ફાટતા ઇકો કાર ચાલકે સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવતા રોડ ની સાઈડ મા બેસીને ગાડીઓનુ ફાસ્ટેક નુ કામ કરતા ધાર્મિક દેસાઇ તથા રાજન નામના બન્ને યુવકો તથા સાઈડ મા રહેલ એકટીવા તથા બાઇક ને અડફેટે લીધી હતા તો ધાર્મિક દેસાઇ તથા રાજન બન્ને યુવકો ને શરીરે જીવલેણ ઇજાઓ પહોચી હતી તો અકસ્માત ને લઈ ને લોકો દોડી આવ્યા હતા અને બન્ને ઈજાગ્રસ્તો ને તાત્કાલિક ટોલટેક્સ ઉપર રહેલ એમ્બ્યુલન્સ મારફતે પહેલા પ્રાંતિજ સિવિલ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામા આવ્યા હતા જયા સારવાર દરમ્યાન ધાર્મિક લલ્લુભાઇ દેસાઇ નું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ તો એક ના એક પુત્ર ના મોત ના સમાચાર ને લઈ ને પરિવાર ઉપર આભ ફાટયુ હતુ અને પરિવાર સંગાસંબધીઓ સહિત ગામમા શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!